ધોળા દિવસે સુરત શહેરમાં વેપારી પર ત્રણ જેટલી ગોળી ચલાવી ત્રણ હત્યારાઓ ફરાર, વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનવા પામી છે. જ્યાં વ્યાજે નાણાં ધીરનાર વેપારીને છાતીના ભાગે ત્રણ જેટલી ગોળીઓ ઢળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. જ્યાં પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓનું પગેરું મેળવવાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. […]

ધોળા દિવસે સુરત શહેરમાં વેપારી પર ત્રણ જેટલી ગોળી ચલાવી ત્રણ હત્યારાઓ ફરાર, વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 05, 2019 | 3:15 PM

સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનવા પામી છે. જ્યાં વ્યાજે નાણાં ધીરનાર વેપારીને છાતીના ભાગે ત્રણ જેટલી ગોળીઓ ઢળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.

જ્યાં પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓનું પગેરું મેળવવાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ધોળા દિવસે ફાયરિંગની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક બુલેટ પણ મળી આવી છે. જ્યાં સ્થાનિક વિસ્તારના CCTV ફૂટેજ અને FSLની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રૂપિયાની લેતી દેતી મામલે ફાયરિંગ કરી વેપારીની હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિનો ચાળી ખાતો કિસ્સો ફરી સામે આવ્યો છે. સુરતમાં ધોળા દિવસે સોના – ચાંદીના દાગીના પર નાણાં ધીરનાર વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અઠવા પોલીસ મથકની હદમાં આવેલ તલાવડી વિસ્તારમાં ચોકસી મહેન્દ્ર કુમાર કે.શાહ નામની પેઢી આવેલી છે. આજ રોજ બપોરના સમય દરમ્યાન પેઢીના માલિક મહેન્દ્રભાઈ પોતાની દુકાને હાજર હતા.જે વેળાએ અજાણ્યા ત્રણ શખ્સો તેમની દુકાને આવી ચઢ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા મહેન્દ્ર ભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં છાતી અને મોઢાંના ભાગે ગોળી વાગતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા અઠવા પોલીસ, ડીસીપી ,એસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ઘટના સ્થળ પરથી એક બુલેટ પણ મળી આવી હતી. પોલીસે દુકાન અને આસપાસના લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત  ડોગ સ્ક્વોડ સહિત FSL મદદથી લઈ આરોપીઓનું પગેરું મેળવવા કવાયત પણ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે નાણાકીય વ્યવહારોને લઈ વિવાદ ચાલ્યો આવ્યો હતો. જે વ્યવહારોની પણ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ટૂંક જ સમયમાં ઝડપી પાડવામાં આવશે તેવો આશાવાદ પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">