Surat : મૂકબધિર યુગલનું રહસ્યમય મોત, 15 દિવસ પહેલા બંનેની થઇ હતી સગાઇ

Surat : યુવક-યુવતીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલા મૂક-બધિર યુવક-યુવતીની સગાઈ થઈ હતી.

| Updated on: Feb 17, 2021 | 1:01 PM

Surat : યુવક-યુવતીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલા મૂક-બધિર યુવક-યુવતીની સગાઈ થઈ હતી. તે બંનેના મૃતદેહ ફ્લેટના બાથરૂમમાંથી મળી આવ્યા છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટના શહેરના નાનપુરા વિસ્તારની છે. જ્યાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેનાં રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

 

ગત સાંજે અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગેસ-ગીઝરનો ગેસ-લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">