લો બોલો ! દુકાનદારોએ શરમ સાવ નેવે મુકી, ગોવર્ધન પર્વતની શિલા એમેઝોન પર વેચવા મુકી, હરકતમાં આવેલા તંત્રઅ ફરિયાદ દાખલ કરી
એમેઝોન ઓનલાઈન શોપિંગ (Amazon Online Shopping)સ્ટોર પર વૃંદાવન સ્ટોર અને ધવલ સચદેવ સ્ટોર વતી ગિરિરાજ શિલા(Giriraj Parvat)ને વેચવા સંબંધિત જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં ગિરિરાજ શિલાના ટુકડાની કિંમત 4000 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા ઉત્તર પ્રદેશના કૃષ્ણ શહેર મથુરા(Mathura)માં ગોવર્ધન પર્વત(Govardhan Parvat Parikrama)ની પવિત્ર શિલાના વેચાણ સાથે જોડાયેલી જાહેરાતનો મામલો જોર પકડતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે પોલીસ પણ એક્શનમાં આવી છે. મથુરા પોલીસે ગિરિરાજ શિલાને ઓનલાઈન વેચવાનો પ્રયાસ કરવા બદલ બે દુકાનદારો સામે કેસ નોંધ્યો છે. પોલીસે ગિરિરાજ શિલાને ઓનલાઈન વેચવાનો પ્રયાસ કરવા બદલ ધાર્મિક લાગણી દુભાવવા બદલ બે દુકાનદારો સામે કેસ નોંધ્યો છે. આ મામલો મથુરા જિલ્લાના ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશન(Mathura Police)ની પોલીસ અને સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહી છે.
એમેઝોન પર રોક્સ વેચવા માટેની જાહેરાત
આ મામલે સીઓ ગૌરવ ત્રિપાઠીએ જણાવ્યું કે ગોવર્ધન પોલીસ અને સાયબર સેલે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 295 અને આઈટી એક્ટની કલમ 66D હેઠળ બે દુકાનદારો સામે નોંધવામાં આવ્યો છે. જે બે દુકાનદારો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં ધવલ સચદેવ સ્ટોર અને વૃંદાવન સ્ટોરના માલિકનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ બંને સ્ટોર્સે ઈ-કોમર્સ પોર્ટલ એમેઝોન પર જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં પવિત્ર ગણાતા ગિરિરાજ પર્વતના ખડકના ટુકડાને 4000 રૂપિયાની કિંમતે વેચવાની ઓફર કરવામાં આવી હતી. હવે આ બાબતએ જોર પકડ્યું છે. આ કેસમાં ગોવર્ધન પોલીસ સ્ટેશનની પોલીસ અને સાયબર સેલ પણ દાખલ થયા છે. પોલીસે કહ્યું છે કે તપાસ બાદ સંબંધિત કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે આખો મામલો
ગિરિરાજ શિલાને વેચવા સંબંધિત વૃંદાવન સ્ટોર અને ધવલ સચદેવ સ્ટોર વતી અમેઝોન પર જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં ગિરિરાજ શિલાના ટુકડાની કિંમત 4000 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગિરિરાજ શિલાનો રંગ વાદળી હોવાનું કહેવાય છે. આસ્થાના કેન્દ્ર એવા ગિરિરાજની ખડકની જાહેરાત એમેઝોન પર બતાવવામાં આવતા લોકો ગુસ્સે થયા હતા. સંતોએ આવી પ્રવૃતિઓને તાત્કાલિક બંધ કરવા અસરકારક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
2021માં જાહેરાત પણ આપવામાં આવી હતી
આ પહેલીવાર નથી કે જ્યારે ગિરિરાજ રોક વેચવા માટે જાહેરાત આપવામાં આવી હોય. આવો જ એક કિસ્સો 2021માં પણ સામે આવ્યો હતો. 7 ફેબ્રુઆરી 2021ના રોજ ઈન્ડિયા માર્ટ ચેન્નાઈની વેબસાઈટ પર આવી જ જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ પણ ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ચેન્નાઈથી ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. હવે જે તાજેતરનો મામલો સામે આવ્યો છે તેમાં પણ લોકો આવી જ કાર્યવાહીની માગ કરી રહ્યા છે.