અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડનું કર્યું અપહરણ અને માર્યો ઢોર માર
અમદાવાદના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોએ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા આધેડનું અપહરણ કર્યું. ત્યારબાદ તેને ઢોરમાર મારીને રસ્તા ઉપર ફેંકીને ફરાર થઈ ગયા. ફરિયાદીની વાત માનીએ તો તેમણે વ્યાજખોરો પાસેથી 50 હજાર રૂપિયા 3% વ્યાજે લીધા હતા. જેનો 1500 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો. તેઓ રેગ્યુલર હપ્તો આપી દેતા હતા. […]
અમદાવાદના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોએ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા આધેડનું અપહરણ કર્યું. ત્યારબાદ તેને ઢોરમાર મારીને રસ્તા ઉપર ફેંકીને ફરાર થઈ ગયા. ફરિયાદીની વાત માનીએ તો તેમણે વ્યાજખોરો પાસેથી 50 હજાર રૂપિયા 3% વ્યાજે લીધા હતા. જેનો 1500 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો. તેઓ રેગ્યુલર હપ્તો આપી દેતા હતા. ત્યારબાદ 1500ના હપ્તાની જગ્યાએ 6 હજાર 500ના 10 હપ્તા આપીને રકમની ચૂકવણીનું નક્કી થયું હતું. આ ચૂકવણી દરમિયાન તેમણે 6500ના બદલે 5000 રૂપિયા ચૂકવતાં વ્યાજખોરો તેમના ઘરે ધસી આવ્યા હતા અને જીતેન્દ્રસિંહને રસ્તા ઉપર લઈ જઈને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ગાડીમાં બેસાડીને અસારવા સુધી લઈ ગયા હતા, જ્યાં તેમને મૂઢ માર મારીને ફેંકી દીધા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જૂનાગઢ: ભેંસાણ મગફળી કોભાંડ મામલો! શંકાસ્પદ જથ્થાની હેરફેર CCTVમાં કેદ, જુઓ VIDEO