Mumbai NCB Raid: મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBની રેડ, શાહરુખ ખાનના દીકરા આર્યનની પૂછપરછ શરૂ
Mumbai NCB Raid: શાહરૂખના પુત્રએ જણાવ્યું છે કે તેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો, આર્યનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી
Mumbai NCB Raid: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈમાં ક્રૂઝ પર આયોજિત ડ્રગ્સ પાર્ટીમાં દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી છે. જેમાં બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું પણ નામ સામે આવ્યું છે. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને શુક્રવારે રેવ પાર્ટી વિશે માહિતી મળી હતી. આ પછી CISF અધિકારીઓની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા.
ક્રુઝ લાઈનરની તપાસ હજુ ચાલુ છે. અનેક રૂમની તપાસ કરવામાં આવી છે. જ્યારે ઘણા રૂમ હજુ બાકી છે. અહીંથી ચાર પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. આમાં MDMA, મેફેડ્રોન, કોકેન અને હશીશનો સમાવેશ થાય છે.
Maharashtra: Narcotics Control Bureau (NCB) detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai. Details awaited, says the agency
— ANI (@ANI) October 2, 2021
NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કહ્યું કે કેટલાક લોકોની તપાસ કરવામાં આવી છે. ઘણા લોકોની તપાસ ચાલી રહી છે. અત્યારે કંઇ કહેવું યોગ્ય રહેશે નહીં. સ્થળ પરથી ડ્રગ્સ મળી આવ્યા છે. અમે 8 લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પૂછપરછ દરમિયાન, બોલિવૂડ સ્ટાર શાહરૂખના પુત્રએ જણાવ્યું છે કે તેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો અને પાર્ટીમાં હાજરી આપવા માટે તેણે કોઈ પૈસા આપ્યા ન હતા. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું છે કે આર્યનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ક્રૂઝ ગોવા જઈ રહી હતી અને તેના પર સેંકડો મુસાફરો હતા. ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી યોજવામાં આવી હોવાની સૂચના મળતાં NCB ટીમે અહીં દરોડો પાડ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે કેટલાક મુસાફરો પાસેથી પ્રતિબંધિત માદક દ્રવ્યો મળી આવ્યા છે. એમ પણ કહ્યું કે ક્રુઝમાંથી કોઈ મુસાફરને ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
#UPDATE | Children of prominent Bollywood actors being investigated, according to NCB officials
— ANI (@ANI) October 2, 2021
લગભગ 800 થી 1,000 મુસાફરોને લઈને જતી આ ક્રૂઝ 4 ઓક્ટોબરે મુંબઈ પરત આવવાની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જહાજમાં અનેક હસ્તીઓ હતી. અટકાયત કરાયેલા લોકોને રવિવારે મુંબઈ પરત લાવવામાં આવશે. NCB છેલ્લા વર્ષથી ડ્રગના કેસો પર સક્રિયપણે કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો મતદાન શરૂ