Mehsana : કડીમાં 15 દિવસ અગાઉ કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, 7 કિન્નરોની ધરપકડ

Mehsana : કડી નજીક નર્મદાની મુખ્ય કેનાલ આત્મહત્યાનું કેન્દ્ર બની છે. તેની સાથે હત્યા છુપાવવાનું પણ જાણે કેન્દ્ર બની ગઈ છે. ત્યારે ૧૫ દિવસ અગાઉ કડીના રંગપુરડા નજીક નર્મદા કેનાલ માંથી સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે.

Mehsana : કડીમાં 15 દિવસ અગાઉ કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, 7 કિન્નરોની ધરપકડ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 4:50 PM

Mehsana : કડી નજીક નર્મદાની મુખ્ય કેનાલ આત્મહત્યાનું કેન્દ્ર બની છે. તેની સાથે હત્યા છુપાવવાનું પણ જાણે કેન્દ્ર બની ગઈ છે. ત્યારે ૧૫ દિવસ અગાઉ કડીના રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે. સ્ત્રીવેશમાં મળેલી લાશ દહેગામ તાલુકાના નાંદોલ ગામના ભાવેશ ઉર્ફે ભાવિકા ઠાકોર નામના કિન્નરની હોવાનો ભેદ ઉકેલાયો હતો. અને કિન્નર બની કિન્નર મંડળમાં ફરતા ભાવિકા નામના કિન્નરની હત્યા ભિક્ષાવૃત્તિની તકરારમાં જ તેમના સાથી કિન્નરોએ કરી હોવાનો ભેદ ઉકેલાયો છે.

અર્ધનારેશ્વર તરીકે ઓળખાતા કિન્નરો જીવન ઘણું જ કઠીન માનવામાં આવે છે. અને સંસારિક જીવનમાં કિન્નરનું જીવન ઘણું દયનીય માનવામાં આવે છે. આથી કુદરતની દેન એવું કિન્નર જીવન એકલા વ્યતીત કરવું કઠીન હોવાથી જ કિન્નરો એક સમુદાયમાં સંગઠિત બની રહેતા હોય છે. અને ભિક્ષાવૃત્તિ કરી જીવન વ્યતીત કરે છે. આ સ્થિતિમાં વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતા કિન્નર સમુદાયમાં ગુરુમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થતો હતો. આથી કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાએ ગુરુ માતાનો સાથ છોડી કિન્નરોના અન્ય અખાડામાં જતા રહ્યા હતા. ગુરુમાતાનો અખાડો છોડ્યા બાદ ભિક્ષાવૃત્તિ કરવામાં કિન્નરોના બંને જૂથ વચ્ચે ભિક્ષાવૃત્તિ મામલે તકરાર થતી હતી. આથી કિન્નર ભાવિકાના ગુરુમાતા એવા વૈભાલી માસીએ તરકટ રચી સાથી કિન્નરોને બોલાવી તેના માથાના વાળ અને આઈબ્રોના વાળ કાપી કિન્નર ભાવિકાને ઢોર માર માર્યો હતો. આથી કિન્નર ભાવિકા મોતને ભેટતા મોતને ઘાટ ઉતારનાર કુલ ૯ જેટલા કિન્નરોએ વડોદરાથી ૭૧ કિલોમીટર દુર ભાવિકાની લાશ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જે આખરે કેનાલમાં તરતી-તરતી કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક નર્મદા કેનાલમાં આવી હતી. જોકે સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશ મામલે પોલીસને હત્યાની ની શંકા હતી. જે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને સાયન્ટીફીક પુરાવા આધારે કિન્નર ભાવિકની હત્યા થઇ હોવાનો ભેદ ઉકેલ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કડીના રંગપુરડા કેનાલમાંથી લાશ મળ્યા બાદ હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થતા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો શરુ કર્યા હતા. જેમાં પોલીસને કિન્નર ભાવિક સાથેની વિશેષ હાજરીના પુરાવા આધારે જાનું નામના કિન્નરની અટકાયત કરતા સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિન્નર જાનુંની પૂછપરછમાં ૯ કિન્નરોએ સાથે મળી કિન્નર ભાવિકાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનું કબુલ્યું હતું. આથી કડી પોલીસે હત્યારા કુલ ૯ કિન્નરોમાંથી ૭ કિન્નરોની હત્યા કેસમાં ધરપકડ કરી લીધી છે. તો વળી હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી અને ગુરુમાતા એવા વૈભાલી સહીત બે હત્યારા કિન્નર હાલમાં ફરાર છે. જોકે કડી પોલીસે કિન્નરની હત્યાનો ભેદ ઉકેલવાની સાથે ૭ જેટલા કિન્નરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">