બળાત્કારના આરોપ બાદ મહિલા સાથે કર્યા લગ્ન, બાદમાં ઝઘડાથી કંટાળીને પત્નીને પહાડ પરથી ફેંકી દીધી ખાઈમાં

29 વર્ષની મહિલાએ 24 વર્ષના સેલ્સમેન પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં તેણી આ યુવક સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ હતી. આ શખ્સે પત્નીને પહાડ પર લઈ જઈ નીચે ખાઈમાં ફેંકી દીધી હતી.

બળાત્કારના આરોપ બાદ મહિલા સાથે કર્યા લગ્ન, બાદમાં ઝઘડાથી કંટાળીને પત્નીને પહાડ પરથી ફેંકી દીધી ખાઈમાં
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:37 PM

29 વર્ષની મહિલાએ 24 વર્ષના સેલ્સમેન પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં તેણી આ યુવક સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ હતી. પરંતુ લગ્ન બાદ થતા ઝગડાથી કંટાળીને આ શખ્સે પત્નીને પહાડ પર લઈ જઈ નીચે ખાઈમાં ફેંકી દીધી હતી.

દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલાએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને બાદમાં તેની સાથે જ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ઝઘડાઓથી કંટાળીને તેને નૈનીતાલ લઈ ગયો અને પછી તેને પહાડ પરથી નીચે ખાઈમાં ધકેલી દીધી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડાબરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો 24 વર્ષીય સેલ્સમેન રાજેશ રાય તેની પત્ની બબીતાને નૈનીતાલ લઈ ગયો હતો અને પત્નીને ખાઈમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને મૃતદેહને લેવા માટે નૈનીતાલ પહોંચી. રાજેશ રાય ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રહેવાસી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

DCP દ્વારકા સંતોષ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 14 જુલાઈએ 29 વર્ષીય બબીતાએ FIR દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે રાજેશ રોયે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. 8 ઓગસ્ટ 2020ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી, મહિલાએ સોગંદનામામાં કહ્યું કે, તે પોતાની ફરિયાદ પાછી ખેંચવા માંગે છે અને આરોપી સાથે લગ્ન કરશે.

કોર્ટે 10 ઓક્ટોબર 2020ના રોજ આરોપીને જામીન આપ્યા હતા અને તેણે મહિલા સાથે લગ્ન કર્યા હતા. બબીતાનો પરિવાર દિલ્હીના મહેન્દ્ર પાર્ક વિસ્તારોમાં રહે છે. આરોપીએ જેલ અને પોલીસથી બચવા માટે લગ્ન કર્યાં હતા, પરંતુ છોકરીના પરિવારનો આરોપ છે કે, લગ્ન બાદ તેને સતત હેરાન કરવામાં આવતી હતી. હુમલો કરવામાં આવતો હતો અને આરોપી ઘણી વખત છોકરી સાથે ઝઘડો કરતો હતો. જે બાદ છોકરી તેના મામાના ઘરે આવી હતી.

આ પછી આરોપી 11 જૂન 2021ના ​​રોજ બબિતાને ઉધમ સિંહ નગરમાં તેના ઘરે લઈ ગયો. બીજા જ દિવસે, બબીતાનો ફોન બંધ થઈ ગયો હતો. જેના કારણે ગભરાયેલા પરિવારના સભ્યોએ કોર્ટ મારફતે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દિલ્હી પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા આરોપી રાજેશ રાયની ધરપકડ કરી હતી. તેનું છેલ્લું લોકેશન નૈનીતાલમાં મળ્યું હતું. જ્યારે બબીતાના ફોનનું છેલ્લું લોકેશન પણ નૈનીતાલમાં મળ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે, બબીતા ​​સાથે દિન-પ્રતિદિન થતા ઝઘડાઓથી પરેશાન થઈને તેણે તેની પત્નીને નૈનીતાલ લઈ ગયો હતો અને ખાઈમાંથી ધકેલી દીધી હતી. હાલ દિલ્હી પોલીસ બબીતાના મૃતદેહની શોધ કરી રહી છે.

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">