સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચરી માતા બનાવી, કોર્ટે ફટકારી આકરી સજા, જાણો સમગ્ર મામલો
છોકરીના પિતાએ તેના પર વારંવાર બળાત્કાર કર્યો જેના કારણે તે ગર્ભવતી બની.
કેરળ હાઇકોર્ટે (Kerala HighCourt) ગુરુવારે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, બળાત્કારના આરોપીને એ આધાર પર છોડી ન શકાય કે પીડિતાનું ચરિત્ર ખરાબ છે, અથવા તે જાતીય સંબંધની ટેવ ધરાવતી હતી. ખાસ કરીને આવા કેસમાં આરોપી તેનો પિતા હોય. કેરળ હાઈકોર્ટે એક પિતાને તેની પુત્રી પર બળાત્કારનો દોષિત ઠેરવતા આ કહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીના પિતાએ તેના પર વારંવાર બળાત્કાર કર્યો જેના કારણે તે ગર્ભવતી બની.
હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યારે કોઈ પિતા તેની પુત્રી પર બળાત્કાર કરે છે, ત્યારે તે ગેમકીપરનો શિકારી બનવા અથવા ટ્રેઝરી ગાર્ડનો લૂંટારો બનવા કરતાં ખરાબ છે. પીડિતાના પિતાએ દાવો કર્યો હતો કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. તેમની પુત્રીએ સ્વીકાર્યું હતું કે તેણીએ અન્ય વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ જસ્ટિસ આર નારાયણ પિશાર્ડીએ બાળકનો DNA ટેસ્ટ કરવાનું અવલોકન કર્યું હતું.
બાળકના DNA ટેસ્ટ બાદ બધું જ સામે આવી ગયું દીકરી પર દુષ્કર્મ આચરનાર બાપ પોતે નિર્દોષ હોવાનું સતત રટણ કરી રહ્યો હતો. તેના દાવાને નકારતા હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે દીકરી પર બળાત્કાર કરવાના પરિણામે મે 2013 માં જન્મેલા બાળકનું DNA વિશ્લેષણ દર્શાવે છે કે પીડિતાના પિતા પણ તે બાળકના જૈવિક પિતા હતા.
હાઈકોર્ટે જણાવ્યું કે આવા કિસ્સામાં આરોપીને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરવાનો આધાર ન હોઈ શકે. હાઈકોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે પિતા પીડિત છોકરીને સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે બંધાયેલા હતા. પરંતુ, તેણે તેનું જાતીય શોષણ કર્યું અને તેના પર બળાત્કાર કર્યો. પીડિતાને કેટલો આઘાત લાગ્યો હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. આ ઘટનાએ તેના મનમાં જે છાપ છોડી છે તેને અવગણી શકાય નહીં. તે આવનારા વર્ષોમાં માનસિક વેદના અને પીડા અનુભવી શકે છે.
હાઈકોર્ટે તે હવસખોર પિતાને બળાત્કાર માટે દોષિત ઠેરવ્યો અને તેને 12 વર્ષની જેલની સજા ફટકારી. કોર્ટે તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ 14 વર્ષની કેદની સજાના નીચલી કોર્ટના આદેશને રદ્દ કર્યો, કારણ કે જૂન 2012 થી જાન્યુઆરી 2013 ની વચ્ચે બળાત્કાર થયો ત્યારે પીડિતાને સગીર સાબિત કરવામાં પ્રોસીક્યુશન અસમર્થ હતું.
આ પણ વાંચો : Jammu-Kashmir : શ્રીનગરના ચાનપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
આ પણ વાંચો : હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને સાબરમતી જેલમાં ધકેલાયો