JNU રાજદ્રોહ કેસ: કન્હૈયા કુમાર સહિત 10 લોકોને સમન્સ, 15 માર્ચે કોર્ટમાં થવું પડશે હાજર

પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ ડો.પંકજ શર્માએ કન્હૈયા કુમાર સહિત 10 લોકો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લીધી છે. તમામ આરોપીઓને 15 માર્ચ 2021ના ​​રોજ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

JNU રાજદ્રોહ કેસ: કન્હૈયા કુમાર સહિત 10 લોકોને સમન્સ, 15 માર્ચે કોર્ટમાં થવું પડશે હાજર
કન્હૈયા કુમાર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 16, 2021 | 3:26 PM

જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારને દેશદ્રોહના કેસ માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. તેણે અને અન્ય 9 લોકોને 15 માર્ચે કોર્ટમાં હાજર થવું પડશે. દિલ્હી પોલીસને જેએનયુના નારાઓના કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પહેલા જ મળી હતી. પોલીસે તેમની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની વર્ષગાંઠ 9 ફેબ્રુઆરી, 2016 પર કન્હૈયા કુમારની આગેવાની હેઠળના જેએનયુ કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ ડો.પંકજ શર્માએ કન્હૈયા કુમાર સહિત 10 લોકો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લેતા કહ્યું છે કે ગયા વર્ષે 27 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસના ગૃહ વિભાગે ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. ચાર્જશીટની નોંધ લેતા તમામ આરોપીઓને 15 માર્ચ 2021 ના ​​રોજ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

પોલીસની ચાર્જશીટમાં કન્હૈયા કુમાર ઉપરાંત ઉમર ખાલિદ, અનિર્બન ભટ્ટાચાર્ય, અકીબ હુસૈન, મુજીબ હુસૈન ગટ્ટુ, મુનીબ હુસૈન ગટ્ટુ, ઉમર ગુલ, રઈસ રસૂલ, બશારત અલી અને ખાલિદ બશીર ભટ્ટના નામનો સમાવેશ થાય છે. આઈપીસીની વિવિધ 8 કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શું હતી ઘટના

9 ફેબ્રુઆરી, 2016 ના રોજ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેએનયુ કેમ્પસમાંથી આ સૂત્રનો વીડિયો સામે આવ્યો હતો. જેએનયુના તત્કાલીન પ્રમુખ કન્હૈયા કુમારને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે તેમની પાસે એવા ઘણા તથ્યો અને પુરાવા છે જે સાબિત કરી શકે છે કે કન્હૈયા કુમાર તેમાંથી એક હતા. તેના આધારે પોલીસે જ્યારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ત્યારે કન્હૈયા કુમારને મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને રાજદ્રોહની કલમ હેઠળ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">