અમદાવાદમાં જુહાપુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં કરાયુ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ

Ahmedabad: જુહાપુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં વેજલપુર પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુખ્યાત આરોપી નઝીર વોરા અને હમઝા વોરાની ધરપકડ કરી છે.

અમદાવાદમાં જુહાપુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં કરાયુ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ
આરોપીઓ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 06, 2022 | 10:35 PM

અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત નજીર વોરા અને તેના પુત્ર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ લગ્નની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું ખૂલ્યુ છે. વેજલપુર પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં પોલીસે કુખ્યાત આરોપી નઝીર વોરા અને તેના પુત્ર હમઝા વોરાની ધરપકડ છે. જ્યારે બીજા પક્ષમાં આરોપી ફૈઝાન ઉર્ફે ટેબુ સૈયદ, મયુદ્દીન સૈયદ અને વાહીદ ઉર્ફે બાબા સૈયદ છે.

પ્રેમ લગ્નના વિવાદમાં આ બંને પક્ષ વચ્ચે અદાવત ચાલે છે. સોમવારે રાત્રે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સોનલ સિનેમા નજીક આરોપી વાહીદ સૈયદ અને હમઝા વોરા વચ્ચે આ અદાવતમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતા બંને મારામારી પર ઉતરી આવ્યા, જેમાં કુખ્યાત આરોપી નઝીર વોરા તલવાર લઈને મારવા આવ્યો હતો. ત્યારે સામા પક્ષના આરોપી વાહીદે ફાયરિંગ કર્યુ હતુ. આ સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

વોરા અને સૈયદ પરિવાર વચ્ચે એક વર્ષથી ચાલતી હતી તકરાર

ફાયરિંગ કેસની તપાસમાં ખુલાસો થયો કે નઝીર વોરાની ભાણીએ સૈયદ પરિવારના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નઝીર વોરાના પુત્ર હમઝા સાથે આ યુવતીના લગ્ન નક્કી થયા હતા. પરંતુ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતા વોરા પરિવાર અને સૈયદ પરિવાર વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલતી હતી. જેની અદાવતમાં બન્ને એકબીજા પર હુમલો કર્યો. વેજલપુર પોલીસ સ્ટેશને બન્ને પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને બન્ને પક્ષના 5 આરોપીની ધરપકડ કરીને ફાયરિંગ કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર જપ્ત કર્યું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નઝીર વોરાનો ગુનાહિત ઈતિહાસ, 30થી વધુ નોંધાયા છે ગુના

કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30થી વધુ ગુના નોંધાયા છે. પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે અને આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમો તેમજ મારામારીની કલમો હેઠળ બંને પક્ષે ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે ફાયરિંગ માટે વપરાયેલા હથિયાર અને હુમલામાં વપરાયેલ તલવાર કબ્જે કરી છે. પકડાયેલા આરોપી નજીર વોરા સામે અગાઉ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને સામે પક્ષે પકડાયેલા આરોપીઓ સામે પણ અગાઉ અનેક ગુનામાં સામેલ હોવાથી આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">