Gandhinagar : શિયાવાડામાં 2 સમાજ વચ્ચે ઝઘડો, એક જ્ઞાતિના પરિવારો ડરમાં છોડી રહ્યા છે ગામ
Gandhinagar: દહેગામના શીયાવાડા ગામની ઘટનાના પડઘાં પડતા અધિકારીઓ દોડતા થયા છે. દિકરીની છેડતી મામલે બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા ગયા.
Gandhinagar: દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે બે જૂથ અથડામણ (Group Clash) બાદ 20 જેટલા પરિવારોએ હિજરત કરી છે. એક સમાજના 20 થી વધુ પરિવારો ગામ છોડીને જતા રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાના કારણે લોકોને ગામ છોડવું પડ્યું છે. ઘટનાને પગલે 20 પરિવારોએ હિજરત (Migrate) કરતા પ્રાંત અધિકારી અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.
તો અધિકારીદહેગામના શીયાવાડા ગામની ઘટનાના પડઘાં પડતા અધિકારીઓ દોડતા થયા છે. દિકરીની છેડતી મામલે બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા ગયાઓએ બંને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. જણાવી દઈએ કે અધિકારીઓએ ગામ છોડીને જતા રહેલા પરિવારજનોને પરત આવવા સમાજાવ્યા હતા. તો શિયાવાડામાં જે પ્રકારની ઘટના બની એ બાદ અમુક ગ્રામ જનો કલેકટર ઓફીસ આવ્યા હતા. ત્યાં ડરનો માહોલ યથાવત લાગી રહ્યો છે. આ પ્રકારના દ્રશ્યો ગુજરાતના પાટનગર જિલ્લામાં બનતા ચકચાર મચી જવા પામ્યો છે.
એક ગ્રામ જને જણાવ્યું કે તેમને ગામના માથાભારે માણસ સાથે જૂની અદાવત હતી. તો ત્યારે તેમના પર માથાભારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મામલત દાર ઓફીસથી સમાધાન થયું હોવાનું ગ્રામના એક વ્યક્તિએ જણાવ્યું. આ બાદ પણ હુમલા થયાનું પણ ગ્રામજને જણાવ્યું છે.
એક વ્યક્તિએ જણાવ્યું કે એક સમાજની માતા અને બહેનો અસુરક્ષિત રહે છે. અસામાજિક તત્વો તેમના પર હુમલો કરતા હોય છે. તો ગઈકાલે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ અમુક તત્વો મારવાની અને ઘર સળગાવવાની ધમકી આપતા હોવાનું પણ એક વ્યક્તિએ નિવેદન આપ્યું છે.
સોમવારે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આ ગામમાં આવ્યા હતા. ત્યારે અધિકારીઓએ ગામમાં બે સમાજના આગેવાનોની સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સમાધાન પણ કરાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં પણ આ મામલે કોઇ જ માથાકુટ નહીં થાય તેવી બાંહધરી પણ સમાજના અગ્રણીઓએ આપી હતી.
આ હુમલાના ડરમાં એક સમાજ અને કુટુંબના લોકોએ ગામમાંથી હિજરત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અદાવતના ડરમાં 200 થી 250 લોકો ગામ બાર રહેતા હોવાનું એક યુવાને જણાવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad : રખડતા ઢોરના પ્રશ્ને વિવાદ વકર્યો, ભાજપ કાઉન્સીલરે જ કર્યા આવા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો: surat : કોફી શૉપમાં બેભાન થયેલી યુવતીના હોસ્પિટલમાં મોત બાદ ઉઠયા સવાલો, વિધર્મી યુવક પર પરિજનોના આક્ષેપ