જાણો સચિન દીક્ષિતે કેવી રીતે કરી હિના પેથાણીની હત્યા, મહત્વની વિગતો સામે આવી

હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થતાં હિનાએ ચીસો પાડી હતી. જેથી સચીને હિનાનું 7 મિનિટ સુધી ગળું દબાવી હત્યા કરી હતી.

જાણો સચિન દીક્ષિતે કેવી રીતે કરી હિના પેથાણીની હત્યા, મહત્વની વિગતો સામે આવી
Find out how Sachin Dixit killed Hina Pethani important details came to light (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:49 AM

વડોદરામાં(Vadodara) હિના પેથાણીની(Hina Pethani) હત્યા (Murder) કરવાના કેસમાં મહત્વની વિગતો સામે આવી રહી છે. જે મુજબ વડોદરાના ઘરમાં સચીન દીક્ષિત અને હિના વચ્ચે ગાંધીનગર જવાના મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો જેમા હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થતાં હિનાએ ચીસો પાડી હતી. જેથી સચીને હિનાનું 7 મિનિટ સુધી ગળું દબાવી હત્યા કરી હતી.

જોકે હિનાના શરીરનું હલનચલન બંધ થતાં હિનાની લાશ ચેઇનવાળી બેગમાં ભરી બેગ રસોડામાં મૂકી દીધી હતી.. ત્યારબાદ બાળકને લઇને સચિન ગાંધીનગર રવાના થયો હતો. પોતાના પરિવારને પ્રેમ પ્રકરણની તથા બાળક વિશે જાણ થઇ જશે તેવો ડર લાગતાં તેણે બાળકને પેથાપુરની ગૌશાળાના ગેટ પાસે મૂકી દીધો હતો.

ઉલ્લેખનીય છે  કે, ગાંધીનગરના પેથાપુરમાં માસુમ બાળક શિવાંશને તરછોડી દેનાર ક્રૂર પિતા સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આરોપી સચિનની પૂછપરછમાં વધું એક ઘટસ્ફોટ થયો છે.જેમાં શિવાંશને ત્યજીને સચિન તેની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો અને બાદમાં ઉત્તરપ્રદેશ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો.એટલું જ નહીં પહેલા પ્રેમિકાની હત્યા કરી મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સચીનને સાથે રાખી પેથાપુર ગૌશાળા બહાર ધટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સમગ્ર રાજ્યમાં શિવાંશના હસતા ચહેરાને હજી કોઈ ભૂલી નથી શક્યું પણ તે હાલ માતા-પિતા વિનાનો નોંધારો થઈ ગયો છે.બીજી બાજુ ક્રૂર પિતા સચિન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે.જેમાં આજે સચિનને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરતું કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.

પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં.બાળક શિવાંશનો મુદ્દો સંવેદનશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે કે આરોપી સચીનનો કોઈ કેસ નહીં લડે..જો કે મફત કાનુની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.પરતું આરોપી સચીન કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેનાં મોઢા પર કોઈ અસર જોવા મળી ન હતી.

આ પણ  વાંચો: અમદાવાદમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવાશે

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં વકરતા રોગચાળાને લઇને કોર્પોરેશન એક્શન મોડમાં

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">