Surat: નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

કોરોનાના કપરા સમયમાં પણ રૂપિયા રળવા લોકો કાળા કામ કરવાનું ચુકતા નથી. સુરતના અમરોલી વિસ્તારના દુખીયાના દરબાર રોડના ફાર્મ હાઉસમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે.

| Updated on: May 09, 2021 | 5:58 PM

કોરોનાના કપરા સમયમાં પણ રૂપિયા રળવા લોકો કાળા કામ કરવાનું ચુકતા નથી. સુરતના અમરોલી વિસ્તારના દુખીયાના દરબાર રોડના ફાર્મ હાઉસમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સુરત પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નરેશ ડાભી અને જીગર ભાલાળાને 7.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

આ ઈસમો પાસેથી 1200 લીટર મિથાઈલ પ્રવાહી, સેનેટાઈઝર 900 લીટર અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ નકલી સેનેટાઈઝર પાંચ લીટરના કેરબામાં ભરી ભળતા નામથી છુટક બજારમાં વેચાણ કરતા હતા.

આ પહેલા વડોદરામાં પણ નકલી સેનેટાઇઝર બનવવાના આરોપસર ફેકટરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. એ. કે. એન્ટરપ્રાઈઝના સંચાલક નીતિન કોટવાણીની ધરપકડ કરાઈ અને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા તેની ધરપકડ કરાઈ હતી. વડોદરા PCB એ ગોરવા BIDCમાં આવેલી ફેકટરી પર દરોડો પાડી 47 લાખથી વધુનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

એ. કે. એન્ટરપ્રાઈઝ દ્વારા 10 કરોડની રકમનું નકલી સેનેટાઇઝર બજારમાં ફરતું કરી દીધું છે. બજારમાં વેચી દેવાયેલો નકલી સેનેટાઇઝરનો જથ્થો કબ્જે કરવાની પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરામાં બે અલગ અલગ સ્થળોએથી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">