Devbhoomi Dwarka: કલ્યાણપુર પોલિસ પર સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ, કોર્ટે આપ્યા તપાસના આદેશ
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ કરાયો હતો. સગીરે કોર્ટમાં ઓળખ પરેડ દરમ્યાન પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા.
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં અઠવાડીયા પહેલા દારૂના કેસમાં એક આરોપીને પોલીસ પકડી લાવી. પરંતુ બાદમાં સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ કરાયો હતો. કલ્યાણપુરના પીએસઆઈ ગગનીયા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કસ્ટડીમાં રહેલા સગીરને બેફામ ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરે કોર્ટમાં ઓળખ પરેડ દરમ્યાન પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા.
સગીરની અટકાયત બાદ કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો
કલ્યાણપુરના રાણ ગામમાં દારૂના કેસમાં એક સગીર પર પોલિસે કાર્યવાહી તો કરી, પરંતુ સગીરની અટકાયત કર્યા બાદ તેને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતા. સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ ખાતાકીય તપાસ શરૂ કરી છે.
કલ્યાણપુર પોલીસ દફતરમાં સગીરને કસ્ટડીમાં માર મારવાનો મામલો નોંધાતા પોલિસ ખુદ જ આરોપી બની છે. જે મામલો કોર્ટમાં ચાલતા સગીરે આરોપીની ઓળખ કોર્ટમાં કરી હતી. ઘટનાને લઈ પોલીસની વર્દીની આડમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હાલ પોલિસ સામે ફરીયાદની તપાસ ચાલી રહિ છે.