આ 3 લોકોએ ભય્યૂજી મહારાજની ‘આપઘાત’ કુંડળી લખી, જાણો પોલીસના જણાવ્યા મુજબ શું છે ભય્યૂજી મહારાજની સુસાઇડ મિસ્ટ્રી ?

મધ્ય પ્રદેશના બહુચર્ચિત ભય્યૂજી મહારાજ આપઘાત કેસમાં ઇંદોર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ઇંદોર પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેમાંથી એક ભય્યૂજી મહારાજનો સૌથી નિકટનો સેવાદાર હતો. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ […]

આ 3 લોકોએ ભય્યૂજી મહારાજની ‘આપઘાત’ કુંડળી લખી, જાણો પોલીસના જણાવ્યા મુજબ શું છે ભય્યૂજી મહારાજની સુસાઇડ મિસ્ટ્રી ?
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 3:23 PM

મધ્ય પ્રદેશના બહુચર્ચિત ભય્યૂજી મહારાજ આપઘાત કેસમાં ઇંદોર પોલીસે મોટો ખુલાસો કર્યો છે.

ઇંદોર પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેમાંથી એક ભય્યૂજી મહારાજનો સૌથી નિકટનો સેવાદાર હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મધ્ય પ્રદેશના ડીઆઈજી (ઇંદોર) હરનાયારણચારી મિશ્રાએ જણાવ્યું કે ભય્યૂજી આપઘાત કેસમાં તેમના સૌથી નિકટસ્થ ખાસ સેવાદાર વિનાયક દુધાલે, એક અન્ય વ્યક્તિ શરદ દેશમુખ અને એક યુવતી પલકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય મળી ભય્યૂજી મહારાજને બ્લૅકમેલ કરી રહ્યા હતાં અને આ જ કારણથી ભય્યૂજી મહારાજ આર્થિક અને માનસિક રીતે ત્રાસી ગયા હતાં.

પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પલક ભય્યૂજી મહારાજ સાથે લગ્ન કરવા માગતી હતી, તો વિનાયક દુધાલેની નજર ભય્યૂજી મહારાજની મિલકત પર હતી.

ભય્યૂજી મહારાજના પ્રથમ પત્ની માધવીના મોત બાદ કૅર ટેકર તરીકે પલકની એન્ટ્રી થઈ. વિનાયક અને શરદે પલકને ભય્યૂજી સાથે નિકટતા કેળવવાનું કહ્યું. ત્યાર બાદ ભય્યૂજી અને પલક વચ્ચે અશ્લીલ ચૅટ થયાં કે જે આરોપીઓએ સેવ કરી લીધા. વીડિયો અને ચૅટ વડે આ ત્રણેય લોકો વારંવાર ભય્યૂજી મહારાજ પાસેથી પૈસા વસૂલતા હતાં.

પોલીસે જણાવ્યું કે ભય્યૂજીએ આયુષી સાથે 17 એપ્રિલ, 2017ના રોજ બીજા લગ્ન કરતા પલકે શરદ અને વિનાયક સાથે પહોંચી હોબાળો ક્યો હતો. પલકે ભય્યૂજીને અલ્ટીમેટમ આપ્યુ હતું કે તેઓ 16 જૂને તેની સાથે લગ્ન કરે, પરંતુ આ તારીખ આવે, તો પહેલા જ ભય્યૂજીએ 12 જૂને આપઘાત કરી લીધો.

પોલીસે કહ્યું કે દાતી મહારાજ પર યુવતીના આરોપના સમાચારો બાદ ભય્યૂજી મહારાજ વિચલિત થઈ ગયાં. તેઓ પોતે પણ આવી જ રીતે ફસાઈ જશે, તેમ વિચારીને ગભરાઈ ગયાં. પલક, વિનાયક અને શરદ આવા અહેવાલો બાદ ભય્યૂજી પર હાવી થઈ ગયાં. પલક સતત લગ્ન માટે દબાણ કરી રહી હતી અને વિનાયક તથા શરદ રૂપિયા વસૂલવામાં લાગેલા હતાં.

[yop_poll id=689]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">