BANASKATHA : કાતિલ પ્રેમી કોણ ? અમીરગઢમાં ત્યક્તા મહિલાની થઇ ક્રુર હત્યા
BANASKATHA : કોરોનાકાળમાં પણ રાજયમાં હત્યાના બનાવો અટકી રહ્યાં નથી. રાજયમાં છાશવારે હત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં
BANASKATHA : કોરોનાકાળમાં પણ રાજયમાં હત્યાના બનાવો અટકી રહ્યાં નથી. રાજયમાં છાશવારે હત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં, અહીં એક સાથે બબ્બે હત્યાના બનાવોને કારણે હાહાકાર મચી ગયો છે.
પ્રેમસંબંધમાં માનવી કયારે ક્રુર બની જતો હોય છે તે કહેવું મુશ્કેલ છે. અને, પ્રેમમાં અંધ બનેલ વ્યક્તિ કયારેક મોતનો ભોગ બને છે. આવું જ કંઇક બન્યું છે અમીરગઢમાં. જયાં એક મહિલાને પ્રેમસંબંધમાં મળ્યું છે મોત.
બનાસકાંઠા જિલ્લામાં ડબલ મર્ડરથી હાહાકાર
બનાસકાંઠા જિલ્લામાં જે બબ્બે હત્યાના બનાવો બન્યા છે. જેમાં એક હત્યા અમીરગઢમાં કરવામાં આવી છે. જેમાં એક મહિલાની હત્યા કરાઇ છે. મહિલાની હત્યા કરી તેણીની મૃતદેહને ફેંકી દેવામાં આવી છે. આ મહિલાના શરીર પર ચપ્પાના ઘાના નિશાનો પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર કેસ ?
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢની સીમમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મહિલાનો મૃતદેહનો કબજો મેળવી તેની તપાસ કરાઇ હતી. ત્યારે મહિલાના શરીર પર ચારથી પાંચ ચપ્પાના ઘા દેખાયા હતા. જે પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કોણ છે આ મહિલા ? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢમાં રહેતી ત્યકતા તરીકે પોતાનાં માતા-પિતા પાસે જીવન વ્યતીત કરતી ભગીબેન નાથબાવા અમીરગઢના નાગજી રબારી સાથે પ્રેમ સંબંધમાં હતી. નાગજી રબારી અને ભગીબેન એકબીજાને મળતા હતાં. ગઇકાલે પણ ભગીબેન નાગજી સાથે ગયા હતા. જે બાદ તેમની હત્યા કરેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેનની ફરિયાદના આધારે આરોપી નાગજી દેસાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. જેથી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું પ્રેમસંબંધમાં થઇ છે હત્યા ?
હાલ તો શંકાના આધારે પોલીસે આરોપી પ્રેમી નાગજી દેસાઈની શોધખોળ હાથ ધરી છે. જ્યારે હત્યા કયા કારણે કરવામાં આવી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ત્યકતા મહિલા જ્યારે એક વ્યક્તિના પ્રેમ સંબંધમાં હતી. તેમ છતાં તેની ચાકુ ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કેમ કરવામાં આવી ??? તેને લઈને અનેક સવાલોએ જન્મ લીધો છે.