આસામઃ NIAએ 7 જિલ્લામાં ઉલ્ફાના 16 સ્થળ પર દરોડા પાડ્યા, મહત્વના દસ્તાવેજો મળ્યા
NIAએ મોડી રાત્રે આસામ9Assam)ના સાત જિલ્લાઓમાં 16 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન, ડિજિટલ સાધનો અને દારૂગોળો ઉપરાંત ઉલ્ફા સાથે સંબંધિત કાર્યવાહી કરવા યોગ્ય દસ્તાવેજો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું.
આસામ(Assam)માં આતંકવાદી સંગઠન ઉલ્ફા (ULFA)વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીનું અભિયાન ચાલી રહ્યું છે. NIAએ મોડી રાત્રે આસામના 7 જિલ્લાના 16 જિલ્લાઓમાં આતંકવાદી સંગઠન ઉલ્ફાના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન એજન્સીએ ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ જપ્ત કરી હતી. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન (terrorist organization) યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)માં યુવાનોની ભરતીના કેસમાં NIA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
NIA દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ જગ્યાઓ પરથી ઘણી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. એનઆઈએના પ્રવક્તા અનુસાર, દરોડા દરમિયાન ઉલ્ફા સાથે સંબંધિત ડિજિટલ સાધનો, દારૂગોળો અને સાહિત્ય પણ મળી આવ્યું છે. NIAએ એ પણ જણાવ્યું છે કે ભારત-મ્યાનમાર સરહદ નજીક તેમના કેટલાક કેમ્પ પણ મળ્યા છે.
ડિજિટલ સાધનો સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે
NIAએ મોડી રાત્રે આસામના સાત જિલ્લાઓમાં 16 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજ્યના કામરૂપ, નલબારી, ડિબ્રુગઢ, તિનસુકિયા, સાદિયા, ચરાઈડિયો અને શિવસાગર જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) સાથે સંબંધિત કાર્યવાહી કરી શકાય તેવા દસ્તાવેજો અને સાહિત્ય ઉપરાંત ડિજિટલ સાધનો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
NIA conducts multiple searches in Assam in the ULFA recruitment case. Digital devices, live ammunition along with incriminating documents and literature related to ULFA have been seized. pic.twitter.com/R1cRLnwvKx
— ANI (@ANI) September 3, 2022
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ULFA ની પ્રવૃત્તિઓ જેવી કે યુવાનોની ભરતી, છેડતી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે યુવાનોને કટ્ટરવાદના પાઠ ભણાવવા જેવા કેસમાં આ શોધ હાથ ધરવામાં આવી હતી. NIAએ 18 મેના રોજ આ કેસ નોંધ્યો હતો.
આસામ સહિત અનેક જગ્યાએ ઉલ્ફા સક્રિય છે
થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) આસામમાં ફરી સક્રિય છે અને આસામ તેમજ દિલ્હી-એનસીઆર અને અન્ય ઘણા વિસ્તારોમાં યુવાનોની ભરતી અને તાલીમ આપી રહ્યું છે. લગભગ 3 મહિના પહેલા ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઉલ્ફા અપહરણની સાથે સુરક્ષા દળો અને સામાન્ય લોકો પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ જ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો હતો કે ઉલ્ફા યુવાનોને તાલીમ આપી રહી છે.