શ્રદ્ધા વોકર જેવી બીજી ઘટના, પુત્રએ જ બાપને રહેંશી નાખ્યો, ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા
પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના પિતાની હત્યા તો કરી નાખી, પરંતુ તેની લાશને કાપવાની હિમ્મત થઈ રહી ન હતી. ત્યારે તેને નશાની ગોળીઓનો સહારો લીધો અને નશાની હાલતમાં જ લાશના ટુકડા કરી નાખ્યા.
પાંડવ નગર હત્યાકાંડમાં દિલ્લી પોલીસે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે પાંડવ નગરમાં રહેતા આધેડના સાવકા પુત્રની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. તેની જાણ થતા સાવકા પુત્રએ તેની માતા સાથે મળી ન માત્ર તેની હત્યા કરી, પરંતુ લાશના ટુકડે ટુકડા કરી ફ્રિઝમાં છુપાવી દીધા. પછી ઘણા દિવસો સુધી તે આ ટુકડાને એક એક કરી અલગ અલગ સ્થળે ફેંકતો રહ્યો. પોલીસે આરોપીને પુછપરછ દરમિયાન બીજા ઘણા સંવેદનશીલ તથ્યો ઉજાગર કર્યા છે જો કે ચાર્જશીટનો વિષય બતાવીને સાર્વજનિક કરવામાં આવી રહ્યું નથી.
આરોપી પુત્ર દિપકએ જણાવ્યું કે તેની માતાએ ઘણા લગ્ન કર્યા હતા. છેલ્લા લગ્ન તેને દાસ સાથે કર્યા હતા. જ્યારે તે અંજનદાસના પહેલાવાળા પતિ કલ્લુનો પુત્ર છે. તેને જણાવ્યું કે અંજનએ પણ ચાર પાંચ લગ્ન કર્યા હતા. આ સિવાય પણ ઘણી મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ત્યાં સુધી કે ઘર અંદર તેના સાવકા પિતાએ પુત્રની પત્ની પર પણ નજર બગાડી હતી. આ બાબતે જાણકારી મળી તો તેને પોતાની માતા સાથે વાત કરી અને ત્યારબાદ નશાની ગોળીઓ આપી દીધી. જ્યારે તે નશામાં ધૂત થઈ ગયો તો તેને પિતાની હત્યા કરી નાખી. જોકે તે લાશને એકવારમાં બાહર લઈ ઠેકાણે કરી શકે તેમ ન હતો એટલા માટે તેને તેની માં સાથે મળી લાશના ટુકડે ટુકડા કર્યા અને અલગ અલગ સ્થળે ફેંકી દીધા.
લાશના ટુકડા કરતા સમયે નશામાં હતો પુત્ર
પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના પિતાની હત્યા તો કરી નાખી, પરંતુ તેની લાશને કાપવાની હિમ્મત થઈ રહી ન હતી. ત્યારે તેને નશાની ગોળીઓનો સહારો લીધો અને નશાની હાલતમાં જ લાશના ટુકડા કરી નાખ્યા. પોલીસે જણાવ્યું કે પહેલીવાર 30 મેના અંજન દાસના શરીરના ટુકડા મળ્યા હતા. થોડા સીસીટીવી ફુટેજ પણ મળ્યા. આ જ ફુટેજના આધારે જ ઘટનાની તપાસ કરતા આખરે પોલીસે માં દિકરાને દબોચી લીધા. હવે પોલીસે અંજન દાસનો ડીએનએ પ્રોફાઈલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
દુર્ગંધ આવતા ટુકડા ફ્રિજમાં રાખ્યા
પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું કે ઘટનાની રાત્રે જ તેણે લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. એ જ દિવસે એક ટુકડાને ફેંકી પણ દીધો હતો પરંતુ પછીના દિવસે રાત થવાની રાહમાં આ ટુકડાઓમાંથી દુર્ગંધ આવવા લાગી. એવામાં એક ટુકડો બાહર રાખી બાકીના ફ્રિઝમાં રાખ્યા હતા. તેમજ અંધારુ થતા તેને બાહર રાખેલ ટુકડો લઈ ઠેકાણે લગાવી દીધો હતો.
અલગ-અલગ જગ્યાએ ફેંક્યા ટુકડા
આરોપી પુત્રએ પિતાના શરીરના ટુકડાને અલગ અલગ સ્થાનો પર ફેંક્યા હતા. આ ટુકડાને ફેંકવા માટે સ્થાન પણ ઘણું વિચારીને નક્કી કર્યા હતા. તેને એવી જગ્યા શોધી જ્યાં કાગડા અને અન્ય પ્રાણી તેને સરળતાથી ખાય શકે. આ સિવાય તેને થોડા ટુકડા નાલામાં પણ ફેંકી દીધા હતા.