અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાંચે 4 લુટારૂઓને ઝડપી પાડ્યા
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં […]
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં કોની કોની સંડોવણી છે તે પણ વિગત સાથે બહાર આવશે. પોલીસને મુદ્દામાલ કબજે કરવામાં પણ સફળતા મળી છે.