AHMEDABAD : પાગલ પ્રેમીએ પ્રેમિકાના પરિવાર પર કર્યો હુમલો, પતિ-પત્ની ઔર વોની કહાની
AHMEDABAD : કયારેક પાગલ પ્રેમીઓની કરતૂત એક કુંટુંબને તહેસનહેસ કરી નાંખે છે. અને, પ્રેમના પાગલપનમાં અનેક જિંદગીઓ બરબાદ થઇ જાય છે. આવું જ કંઇક બન્યું છે મેગાસીટી અમદાવાદમાં
AHMEDABAD : કયારેક પાગલ પ્રેમીઓની કરતૂત એક કુંટુંબને તહેસનહેસ કરી નાંખે છે. અને, પ્રેમના પાગલપનમાં અનેક જિંદગીઓ બરબાદ થઇ જાય છે. આવું જ કંઇક બન્યું છે મેગાસીટી અમદાવાદમાં. જીહાં, અમદાવાદમાં પતિ – પત્નિ અને વો ની ઘટના સામે આવી છે.જેમાં પરિણીતાના પ્રેમીએ પ્રેમિકાના પતિ અને સસરા પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પરિણીતાના સસરાને છરીના ઘા વાગ્યા છે.. જે અંગે ચાંદખેડા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી પત્નિના પતિ અને પ્રેમીની ધરપકડ કરી છે. જો કે આ બનાવ બાદ પરિણીતાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના ચાંદખેડા પોલીસ મથકની કસ્ટડીમાં રહેલા આ બે યુવકોની એકબીજા પર હુમલાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમા રમેશ શાહ (નામ બદલ્યું છે) અને મયુર પ્રજાપતિની (નામ બદલ્યું છે) ધરપકડ કરવામાં આવી છે. જો ગુના પર નજર કરીએ તો રમેશ શાહની પત્નિ રવિના (નામ બદલ્યું) સાથે મયુર પ્રજાપતિ 3 મહિનાથી પ્રેમ સંબંધમા હતા. જે વાતની જાણ પતિ રમેશને રવિનાએ કરી હતી. જેથી મયુરને ઘરે બોલાવી વાતચિત કરવાની હતી.પરંતુ ઉશ્કેરાયેલા પ્રેમી મયુરે છરી વડે રમેશ પર હુમલો કર્યો જેમાં તેના પિતાને ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત પ્રતિકને પણ મુઢ માર મારવામા આવ્યો હતો. જે અંગે પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.
ચાંદખેડા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી પ્રેમી અને પતિની ધરપકડ કરી છે. જ્યારે રમેશના પિતા ને આંખ અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પરિણીતા રવિનાને પોતાની ભુલ સમજાતા તેણે ફિનાઈલ પીને આત્મહત્યાની કોશીશ કરી હતી. જેથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે કાજલે કોઈ ફરિયાદ આપી નથી. પરંતુ પતિ અને પ્રેમીની ક્રોસ ફરિયાદના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
મહત્વનુ છે કે, પ્રેમમાં પાગલ પ્રેમી પ્રતિક પણ પરિણીત છે અને તેને એક સંતાન પણ છે. પરંતુ તેની આ ભુલના કારણે એક બે નહી પરંતુ 4 જિંદગી બરબાદ થવાના આરે છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પતિ – પત્નિ અને વો ની આ કહાનીનો અંત શું આવે છે.