Ahmedabad : સાણંદમાં પતિએ વટાવી ક્રુરતાની હદ, પત્નીનું ધડ અને માથું ધારદાર હથિયારથી અલગ કરી પતિ ફરાર
આ દંપતી મૂળ કચ્છના રહેવાસી છે. મૃતક હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. બંનેના લગ્ન પાંચ માસ પહેલા જ થયા હતા. અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં.
સાણંદમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી, 5 મહિનાના લગ્ન જીવનનું કરુણ અંજામ આવ્યો. ઘર કંકાસના કારણે હત્યા કરી હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી. હત્યારા પતિની ધરપકડ બાદ હત્યાનું કારણ સામે આવશે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. કોણ છે ક્રૂર પતિ. વાંચો આ અહેવાલ.
સાણંદના હોળી ચકલા વિસ્તારના ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિએ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે. કચ્છના રાપરમાં રહેતું આ દંપતી 4 દિવસ પહેલાં જ ભાડે રહેવા આવ્યું હતું. ઘરમાંથી દુર્ગંધ મારતાં પડોશીએ પોલીસને જાણ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો કચ્છના રાપરમાં રહેતા દંપતી કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસા ગોહિલ ભાડે રહેવા આવ્યા હતા. 12 જુલાઈ 2021 બન્ને લગ્ન કર્યા હતા. પરંતુ અગમ્ય કારણસર ચકુએ પતિનું ગળું કાપીને હત્યા કરીને મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આ દંપતી મૂળ કચ્છના રહેવાસી છે. મૃતક હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. બંનેના લગ્ન પાંચ માસ પહેલા જ થયા હતા. અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં. ચાર દિવસ પહેલા જ બન્ને દંપતી ભાડે મકાનમાં રહેવા આવ્યા હતા.પોલીસ પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘરકંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છીએ. હત્યારો પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ છે..
આ દંપતી અગાઉ સાણંદ ના કપૂર વાસ માં રહેતા હતા. હત્યા ખરેખર ઘર કંકાસ કે અન્ય કોઈ કારણથી થઈ છે તે જાણવા પોલીસે જુદી જુદી 3 ટિમો બનાવીને તેમજ ટેક્નિકલ સેલની મદદથી આરોપી કનુની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : Constitution day: સંસદના સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીએ કહ્યું , ‘દેશ હવે બાબાસાહેબના વિરોધને સાંભળવા તૈયાર નથી’
આ પણ વાંચો : સુરતમાં નહીં રહે પાણીની સમસ્યા: પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરી લવાશે નિરાકરણ