અમદાવાદ : લગ્નની લાલચ આપીને પરણિત પ્રેમીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, પ્રેમીની ધરપકડ
આરોપી રાજુ ચુનારા પરણિત છે અને તેને બે સંતાન છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવીને પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીને અમદાવાદ અને ગુજરાત બહાર ફરવા લઈ જઈને તેની પાસેથી કેટલાક નાણાં અને દાગીના પડાવ્યા હતા.
Ahmedabad : કાગડાપીઠ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને પરણિત પ્રેમીએ (Married lover)યુવતી સાથે દુષ્કર્મ (Mischief)આચર્યું. યુવતીએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી. પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમિકા પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાનું ખુલ્યું.
ઘટનાની વાત કરીએ તો કાગડાપીઠ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને આરોપી રાજુ ચુનારાએ પ્રેમજાળમાં ફસાવી. અને તેને લગ્ન કરવાની લાલચ આપીને જુદા જુદા વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું. યુવતીએ લગ્ન કરવા માટે દબાણ કરતા આરોપીએ લગ્ન કરવાની ના પાડીને યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો. જેથી યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી.
આરોપી રાજુ ચુનારા પરણિત છે અને તેને બે સંતાન છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવીને પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીને અમદાવાદ અને ગુજરાત બહાર ફરવા લઈ જઈને તેની પાસેથી કેટલાક નાણાં અને દાગીના પડાવ્યા હતા. યુવતીના માતાના દાગીના વેચી દીધા હોવાના પણ આક્ષેપ કર્યો છે. રાજુ અને યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી સંબંધ હતો. તો છેલ્લે રાજુએ લગ્ન નહિ કરીને યુવતીનું શારીરિક શોષણ કરતા યુવતીએ રિવરફ્રન્ટ જઈને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે તેને રોકી લેવાઈ હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી.
પ્રેમી અને પ્રેમિકા વચ્ચે લગ્ન, તકરાર અને દુસકર્મ ના આક્ષેપો વચ્ચે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી આરોપી રાજુ ઉર્ફે રાજેન્દ્ર ચુનારાની ધરપકડ કરી મેડિકલ તપાસ કરાવી. તેમજ આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આવું કૃત્ય કર્યું હતું કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ.
આ પણ વાંચો : ભુજના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના પગલાની તોડફોડ, સંતો અને સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચો : સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ