અમદાવાદઃ પીપળજ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના પીપળજ ગામથી કમોડની વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કુલ 5 લોકો સવાર હતા અને બન્ને બાઈકો સામસામે ધડકાભેર ડકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય […]
અમદાવાદના પીપળજ ગામથી કમોડની વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કુલ 5 લોકો સવાર હતા અને બન્ને બાઈકો સામસામે ધડકાભેર ડકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય બે ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો