અઢી વર્ષે ન્યાય: સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ આજીવન જેલના સળીયા પાછળ

Surat: બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે દુષ્કર્મ આચરનારને જીવે ત્યાં સુધી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:50 AM

Surat: સુરતમાં બાળકી (Girl Child) પર થયેલા દુષ્કર્મની (Rape) ઘટનાના અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે. સુરતના વરેલી ગામે અઢી વર્ષ પહેલા પરપ્રાંતીય વિસ્તારમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો નરાધમ લલચાવી ફોસલાવીને નજીકના ઝાડી ઝાંઝરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે દુષ્કર્મ આચરનારને જીવે ત્યાં સુધી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને 15 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

ઘટનાની વાત કરીએ તો પલસાણાના વરેલીમાં એક એપાર્ટમેન્ટમાં પરપ્રાંતીય પરિવાર રહેતો હતો. જેમની 7 વર્ષીય બાળકી હતી. આ પરિવારના નજીકમાં જ વિકાસ ઉર્ફ વિક્કી ચંદ્રદેવ રાજવંશી પણ રહેતો હતો. આ નરાધમે નજીક આવેલી ખાડી કિનારે ઝાડી ઝાંઝરામાં બાળકીને લઇ જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.

ચોંકાવનારી વાત એ હતી કે બાળકી રડવા જતા મોં દબાવી નરાધમે ચપ્પુ બતાવ્યું હતું. નરાધમે બાળકીને ધમકી આપી હતી કે “જો આ વાત કોઈને કરશે તો તેને જીવથી મારી નાખશે. આમ ધમકી આપીને નરાધમ બાળકીને રઝળતી મૂકી ભાગી છૂટ્યો હતો.

બાળકીના માતાપિતાને ઘટનાની જાણ થતા કડોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો. બાદમાં વરેલી ગ્રામ પંચાયતના CCTV ફૂટેજના આધારે 24 કલાકમાં જ નરાધમને ઝડપી પાડ્યો હતો. જણાવી દઈએ કે આ નરાધમ મૂળ બિહારનો વતની છે.

 

આ પણ વાંચો: Gujarat: ઑમિક્રૉનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

આ પણ વાંચો: લો બોલો! GST સ્કેમનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર થઈ નડિયાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">