5 લોકોએ 60 વર્ષીય મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો, 2 સગીર સહિત તમામ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં 60 વર્ષીય મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

5 લોકોએ 60 વર્ષીય મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો, 2 સગીર સહિત તમામ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:19 PM

મધ્યપ્રદેશના સિંગરૌલી (Singrauli district) જિલ્લામાં 60 વર્ષીય મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રવિવારે રાત્રે સિંગરૌલીમાં રેલવે ક્રોસિંગ પાસે બની હતી જ્યારે મહિલા પોતાના ઘરે જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મહિલાને ઝાડીમાં ખેંચી અને તેની સાથે બળાત્કાર કર્યો. પોલીસે આ કેસમાં 2 સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

સિંગરૌલી પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ બાળાત્કાર કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ઘટના બાદ મહિલા બેભાન અવસ્થામાં નજીકના પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે

સિંગરૌલીના અધિક પોલીસ અધિક્ષક અનિલ સોનકરે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક મહિલા પર બળાત્કારના આરોપમાં 18 વર્ષથી ઓછી વયના બે સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે.

જાન્યુઆરી 2017થી જૂન 2021 સુધી મધ્યપ્રદેશમાં બળાત્કારના 26,708 કેસ, હત્યા બાદ સામુહિક બળાત્કારના 37 કેસ અને સગીર છોકરીઓના અપહરણના 27,827 કેસ નોંધાયા હતા. આ મહિનાની શરૂઆતમાં, મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 50 વર્ષીય મહિલા દર્દી પર કથિત રીતે વોર્ડ બોય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો.

બીહારમાં પણ મહિલા સાથે બાળાત્કારનો એક બનાવ સામે આવ્યો છે. બીહારના મોતીહારી જિલ્લાના (Motihari District) મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંધ વિશ્વાસને કારણે એક મહિલા પર બળાત્કાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાંત્રિકે વિધિ કરવાના બહાને પીડિતા સાથે આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. તિવાર સ્મશાનમાં આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો છે. સોમવારે પીડિતાએ આ કેસમાં FIR નોંધાવી છે. જે બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

પીડિતાનો આરોપ છે કે, તાંત્રિકે છરીની અણીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં તેણે પીડિતા પાસેથી 10 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. ઘટના બાદ જ્યારે મહિલાએ હોબાળો કર્યો ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જે બાદ તાંત્રિક સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે હાલ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: West Bengal: પુરુલિયામાં ફરીથી મળ્યા માઓવાદીઓના પોસ્ટર, નેતાઓને નક્સલવાદીઓ દ્વારા અપાઈ ધમકી

આ પણ વાંચો: 4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">