દેશમાં 30 ટકા મહિલાઓ હિંસાનો ભોગ બને છે, નશાખોર પતિઓ વધુ અત્યાચારી : NFHS રિપોર્ટ

સર્વે મુજબ, 40 ટકા મહિલાઓ જે ક્યારેય શાળાએ નથી જતી તે શારીરિક હિંસાનો સામનો કરે છે. જ્યારે શાળામાં ભણેલી મહિલાઓમાં હિંસાના માત્ર 18 ટકા કેસ જોવા મળ્યા છે.

દેશમાં 30 ટકા મહિલાઓ હિંસાનો ભોગ બને છે, નશાખોર પતિઓ વધુ અત્યાચારી : NFHS રિપોર્ટ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 12:54 PM

તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં દેશમાં મહિલાઓ સાથે થતી શારીરિક અને જાતીય હિંસા અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સર્વે અનુસાર, 18 થી 49 વર્ષની વયની લગભગ 30 ટકા મહિલાઓ એવી છે. જેમણે 15 વર્ષની ઉંમર પછી ઘરેલુ હિંસાનો (Domestic Violence)સામનો કરવો પડ્યો છે. 6 ટકા મહિલાઓને તેમના જીવનના અમુક તબક્કે જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ માત્ર 14 ટકા મહિલાઓ એવી હતી કે જેમણે તેમની સામે શારીરિક અથવા જાતીય હિંસા નોંધાવી હતી. સર્વે એ પણ દર્શાવે છે કે વારંવાર દારૂ પીનારાઓમાં 70 ટકા એવા છે. જેઓ તેમની પત્નીઓ સાથે શારીરિક અથવા જાતીય હિંસા કરે છે. મહિલાઓ (Women)સામે થતી શારીરિક હિંસાના 80% થી વધુ કેસોમાં પતિ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 18 થી 49 વર્ષની વયજૂથની 32 ટકા પરિણીત મહિલાઓ તેમના પતિ તરફથી શારીરિક, માનસિક અથવા જાતીય હિંસાનો ભોગ બની છે. જ્યારે માત્ર 4 ટકા પુરૂષો એવા રહ્યા, જેમણે કોઈને કોઈ સમયે ઘરેલુ હિંસાનો સામનો કર્યો હોય. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મહિલાઓ વિરુદ્ધ ઘરેલું હિંસા મામલે કર્ણાટક (48%) દેશમાં ટોચ પર છે. તે પછી બિહાર, તેલંગાણા, મણિપુર અને તમિલનાડુ આવે છે. લક્ષદ્વીપ દેશમાં એવું છે, જ્યાં મહિલાઓ દ્વારા સૌથી ઓછી (2.1%) ઘરેલું હિંસા થઈ છે. શારીરિક હિંસાના કિસ્સામાં, ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટપણે દેખાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, 32% મહિલાઓએ હિંસા નોંધાવી હતી, જ્યારે શહેરી વિસ્તારોમાં આવી ઘટનાઓ 24% સાથે બની હતી.

શિક્ષણ અને હિંસાને શું છે સંબંધ ?

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હિંસા પણ શિક્ષણ સાથે સંબંધિત હોવાનું જોવામાં આવ્યું છે. માત્ર સ્ત્રીઓમાં જ નહીં, પુરૂષોમાં પણ શિક્ષણ અને સંપત્તિનું સ્તર જેમ જેમ વધે છે તેમ તેમ તેમની સામેની હિંસાની ઘટનાઓ પણ ઘટતી જાય છે. સર્વે મુજબ, 40 ટકા મહિલાઓ જે ક્યારેય શાળાએ નથી જતી તે શારીરિક હિંસાનો સામનો કરે છે. જ્યારે શાળામાં ભણેલી મહિલાઓમાં હિંસાના માત્ર 18 ટકા કેસ જોવા મળ્યા છે. તેવી જ રીતે, જ્યારે પૈસા વધે છે, ત્યારે હિંસા પણ ઓછી થાય છે. સર્વે અનુસાર, હિંસાના 39 ટકા મામલા સૌથી ગરીબ 20 ટકા મહિલાઓના જૂથમાં નોંધાયા હતા, જ્યારે સૌથી ધનિક જૂથમાં આ આંકડો 17 ટકા હતો.

ઈન્ડિયન એક્સપ્રેસે સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ શારીરિક હિંસાના 80 ટકાથી વધુ કેસોમાં આરોપી પતિ હોય છે. અહીં પણ શિક્ષણની મહત્વની ભૂમિકા જોવા મળી છે. 12 કે તેથી વધુ વર્ષનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરનારા પતિઓ લગ્ન પછી શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક હિંસા કરવાની શક્યતા અડધા (21%) હતા, જેઓ ક્યારેય શાળાએ ગયા ન હતા. પતિની દારૂ પીવાની આદતને પણ પત્ની સાથે શારીરિક કે જાતીય હિંસા સાથે સંકળાયેલી જોવામાં આવી છે. સર્વેક્ષણો દર્શાવે છે કે વારંવાર દારૂ પીનારાઓની 70% પત્નીઓએ શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. જેમના પતિ દારૂ પીતા નથી, તેમનામાં આ આંકડો 23% જોવા મળ્યો છે. રિપોર્ટમાં એવું પણ જોવામાં આવ્યું છે કે 18 થી 19 વર્ષની મહિલાઓ કરતાં 40 થી 49 વર્ષની મહિલાઓને હિંસાનો સામનો કરવો પડે છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">