Western Railway : પશ્ચિમ રેલ્વેની વધુ એક સિદ્ધી, એક જ દિવસમાં 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યુ

Western Railway : 21 મે ના રોજ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો બેંગલુરુ અને 2 ટ્રેનો દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

Western Railway : પશ્ચિમ રેલ્વેની વધુ એક સિદ્ધી, એક જ દિવસમાં 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યુ
Western Railway Oxygen Express Train
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 21, 2021 | 9:48 PM

Western Railway : ભારતીય રેલ્વેમાં પશ્ચિમ રેલ્વેએ વધુ એક સિદ્ધી મેળવી છે. દેશભરમાં વિભિન્ન રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાના ભારતીય રેલવેના પ્રયાસોને વેગ આપતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત જંગમા વિશિષ્ટ પ્રદાન આપવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારને રાહત આપવા ઓક્સિજન એક્સપ્રેસ (Oxygen Express) ટ્રેન મારફતે લિકવિડ મેડિકલ ઓક્સિજનના પરિવહનમાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધી મેળવી છે.

માત્ર એક જ દિવસમાં 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન 20 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવે (Western Railway) એ એક દિવસમાં સૌથી વધુ 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યું હતું. પશ્ચિમ રેલવેએ ચાર ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી જેમાં 24 ટેન્કર મારફતે 450.59 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યુ. આ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો ગુજરાતના કનાલુસથી બેંગલુરુ અને 2 ટ્રેનો ગુજરાતના હાપાથી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

21 મે, 2021 ના રોજ એક ઓક્સિજન એક્સપ્રેસ હાપાથી દિલ્હી જવા રવાના થઈ હતી, જેમાં 6 ટેન્કર મારફતે 110 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 1105 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેન તેના નક્કી કરેલ સ્થાને પહોંચશે.

Western Railway Oxygen Express Train

Western Railway Oxygen Express Train

અત્યાર સુધીમાં 40 40 ઓક્સિજન એક્સપ્રેસ દોડાવાઈ પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા લીક્વીડ મેડીકલ ઓક્સિજનના પરિવહન માટે અત્યાર સુધીમાં કુલ 40 ઓક્સિજન એક્સપ્રેસ (Oxygen Express) ટ્રેનો દોડાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ચલાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ માહિતીમાં જણાવ્યું છે કે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવાઈ છે અને આ ટ્રેનોમાં લગભગ 3737 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)નું 196 ટેન્કર મારફતે પરિવહન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં 12630 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન 20 મે, 2021 સુધીમાં, ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે (Western Railway) સહીતના વિવિધ ઝોન દ્વારા દેશના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં 521 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશમાં 3189 મેટ્રિક ટન, મધ્યપ્રદેશમાં 521 મેટ્રિક ટન, હરિયાણામાં 1549 મેટ્રિક ટન, તેલંગાણામાં 772 મેટ્રિક ટન, રાજસ્થાનમાં 98 મેટ્રિક ટન, કર્ણાટકમાં 641 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું.

આ સાથે ઉત્તરાખંડમાં 320 મેટ્રિક ટન, તમિલનાડુમાં 584 મેટ્રિક ટન, આંધ્રપ્રદેશમાં 292 મેટ્રિક ટન, પંજાબમાં 111 મેટ્રિક ટન, કેરળમાં 118 મેટ્રિક ટન અને દિલ્હીમાં 3915 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન થઈને કુલ 775 ટેન્કર મારફતે 12630 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">