VIDEO: બાબા રામદેવે અક્ષય કુમારનો એક વીડિયો શેર કર્યો, ખિલાડી કુમારે આયુર્વેદની ખૂબ પ્રશંસા કરી છે

VIDEO: યોગગુરુ બાબા રામદેવે અક્ષય કુમારનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર આયુર્વેદની તરફેણમાં વાત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં રામદેવે લખ્યું છે કે...

VIDEO: બાબા રામદેવે અક્ષય કુમારનો એક વીડિયો શેર કર્યો, ખિલાડી કુમારે આયુર્વેદની ખૂબ પ્રશંસા કરી છે
બાબા રામદેવ- સુપરસ્ટાર અક્ષયકુમાર તસ્વીર
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 2:36 PM

VIDEO: યોગગુરુ બાબા રામદેવે અક્ષય કુમારનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર આયુર્વેદની તરફેણમાં વાત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં રામદેવે લખ્યું છે કે આપણા હિન્દુસ્તાની યોગ અને આયુર્વેદમાં જે તાકાત છે તે કોઈ અંગ્રેજ વ્યક્તિના કેમિકલ ઇન્જેક્શનમાં નથી.

યોગગુરુ બાબા રામદેવ આજકાલ ઘણા વિવાદોમાં છે. તાજેતરમાં, તેમણે એલોપેથીથી સારવાર વિશે એક નિવેદન આપ્યું હતું, જેની ઘણી ટીકા થઈ રહી છે. હવે તેમણે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનો આયુર્વેદ વિશે પ્રશંસાની વાત કરતો એક જૂનો વીડિયો શેર કર્યો છે. અને, જેમાં અક્ષયકુમારે કહ્યું કે એવો કોઈ રોગ નથી કે જેનો ઉપાય ભારતની જુની ચિકિત્સા પદ્ધતિમાં ન હોય.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વીડિયો ક્લિપના એક ભાગને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા રામદેવે લખ્યું, “તમારા શરીરના તમે પોતે બ્રાંડ એમ્બેસેડર બનો, સરળ અને સ્વસ્થ જીવન જીવો, અને વિશ્વને આપણી હિન્દુસ્તાની યોગ અને આયુર્વેદની શક્તિ બતાવો. કે જે એક અંગ્રેજનું કેમિકલ ઇન્જેક્શનમાં તાકાત નથી – અક્ષય કુમાર

અહીં, જુઓ બાબા રામદેવે ટ્વીટ કરેલો આ વીડિયો

સુપરસ્ટાર અક્ષયકુમાર 25 વર્ષથી આયુર્વેદને અનુસરી રહ્યા છે આ મૂળ વીડિયો વર્ષ 2017માં અક્ષય કુમારે પોસ્ટ કર્યો હતો. તે દરમિયાન અક્ષયે થોડા દિવસ આયુર્વેદ આશ્રમમાં વિતાવ્યા હતા. અને તે પછી તેણે તેને વીડિયોમાં સ્વર્ગના અનુભવ તરીકે વર્ણવ્યો હતો. અક્ષયે કહ્યું હતું કે તે છેલ્લા 25 વર્ષથી આયુર્વેદને અનુસરી રહ્યો છે. અક્ષયે એમ પણ કહ્યું હતું કે ભગવાને ભારતને આયુર્વેદનો ખજાનો આપ્યો છે અને ભારતના લોકો તેનું કોઈ મહત્વ સમજતા નથી.

ભારતની પરંપરાગત દવાની અવગણના કેમ ? – અક્ષયકુમાર

અક્ષય કુમાર આ વીડિયોમાં કહે છે, “આપણે અંગ્રેજી દવાઓની ગોળીઓ લઈને, પ્રોટીન શેક પીને અને સ્ટેરોઇડ ઇન્જેક્શન લઈને જીવન જીવવાને યોગ્ય ગણાવી રહ્યાં છીએ. અક્ષય કુમાર આગળ કહે છે કે તે એલોપેથીક દવાઓ અને એલોપેથીક સારવારની વિરુદ્ધમાં નથી. તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે ‘ભારતની પરંપરાગત દવા’ઓને કેમ અવગણવામાં આવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">