Corona Vaccination : વર્ષનો શાનદાર અંત, ભારતે રસીના 145 કરોડ ડોઝનો આકડો કર્યો પાર

કોરોના રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, દેશમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Vaccination : વર્ષનો શાનદાર અંત, ભારતે રસીના 145 કરોડ ડોઝનો આકડો કર્યો પાર
The country crossed the figure of 145 crore doses of corona vaccination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 7:59 PM

એક તરફ જ્યાં કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) વધતી જતી ઝડપ સરકારની ચિંતા વધારી રહી છે તો બીજી તરફ તેની સામે રસીકરણ અભિયાન (Vaccination Drive) પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. શુક્રવાર વર્ષ 2021નો છેલ્લો દિવસ છે અને આ સાથે દેશે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

કોરોના રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, દેશમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તેમણે ટ્વીટ કર્યું, “કોરોના રસીકરણના 145 કરોડના માઇલસ્ટોનને પાર કરીને વર્ષનો અંત શાનદાર રીતે કર્યો. પડકારજનક વર્ષ 2021 માં અપાર ધીરજ, નિશ્ચય અને સંકલ્પ દર્શાવવા માટે અમારા ડોકટરો, વૈજ્ઞાનિકો અને ફ્રન્ટલાઈન કાર્યકરોનો આભાર.”

16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકો માટે શરૂ થયો હતો. દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી હતી.

દેશમાં ઝડપથી ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન સાથે ઓમિક્રોન પણ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ છે. ઓમિક્રોનના 1,270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી.

અન્ય ઘણા રાજ્યોમાં પણ Omicron નો વિસ્ફોટ થયો છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી છે કે કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસ નોંધાયા છે. દેશમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, સત્તાવાર સૂત્રએ કહ્યું કે કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટને બદલવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો –

Omicron In India: ભારત માટે ખતરો ! કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું

આ પણ વાંચો –

Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">