Nagpur માં Lockdown ની ઘોષણા બાદ બજારમાં ઊમટ્યું માનવ મહેરામણ, સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા શહેરો અને જિલ્લાઓમાં કોરોના વધતા જતા કેસોને જોતા Lockdown અથવા કર્ફ્યુ લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બેદરકારી પણ જોવા મળી રહી છે.
Nagpur : મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા શહેરો અને જિલ્લાઓમાં કોરોના વધતા જતા કેસોને જોતા Lockdown અથવા કર્ફ્યુ લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બેદરકારી પણ જોવા મળી રહી છે. નાગપુરના કપાસ માર્કેટમાં લોકો સામાજિક અંતર (Social Distancing)ના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા. 15 માર્ચથી શરૂ થયેલા એક અઠવાડિયાના લોકડાઉન પહેલા મોટી સંખ્યામાં લોકો બજારમાં ધસી આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પુણેમાં, જિલ્લા વહીવટીતંત્રે 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની સૂચના આપી છે. આ સાથે, હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાનો સમય પણ કાપવામાં આવ્યો છે. રાજ્યના 36 જિલ્લાઓમાં, 10થી વધુ જિલ્લાઓ કોરોનાના ભરડામાં છે, જેમાં 8 જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કર્ફ્યુ, લોકડાઉન અને કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
#COVID19 | Social distancing goes for a toss as hundreds of people flock to Cotton Market in Nagpur, Maharashtra ahead of a week-long lockdown starting March 15 pic.twitter.com/PfDFn969rm
— ANI (@ANI) March 13, 2021
આ વર્ષે સતત ત્રીજા દિવસે સૌથી વધુ કેસ આવ્યા હતા. શુક્રવારે મહારાષ્ટ્રમાં 15,817 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સતત ત્રીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસો વધીને 22,82,191 થઈ ગયા છે, જ્યારે આ રોગને લીધે 56 નવા મૃત્યુ સાથે મૃત્યુની સંખ્યા 52,723 પર પહોંચી છે.
ગયા વર્ષે 2 ઓક્ટોબરે રાજ્યમાં છેલ્લા 15,000 થી વધુ કેસ આવ્યા હતા, ત્યારબાદ નવા કેસોમાં ઘટાડો થયો હતો. પરંતુ ગયા મહિને કેસોમાં તીવ્ર વધારો થયો હતો. બુધવાર અને ગુરુવારે રાજ્યમાં 13,659 અને 14,317 કેસ નોંધાયા છે. શુક્રવારે, 11,344 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 21,17,744 પર પહોંચી ગઈ છે.