રસીકરણનો બીજો તબક્કો: 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીજનોને વેક્સિન લેવા મુખ્યમંત્રીની અપીલ

દેશભરમાં કોરોના વેક્સિન અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે. આ અભિયાનમાં સિનિયર સિટીજનોને ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી.

રસીકરણનો બીજો તબક્કો: 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીજનોને વેક્સિન લેવા મુખ્યમંત્રીની અપીલ
વેક્સિનેશનનો બીજો તબક્કો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 7:15 PM

રાજ્યમાં કોરોના વેક્સિન અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે. જેમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકો કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અભિયાનમાં ભાગ લઈને કોરોના સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીજનને યોગદાન આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે “રાજ્ય સરકાર સૌના આરોગ્યની ચિંતા કરે છે. અને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સરકારે સફળતા મેળવી છે.”

કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન દેશભરમાં શરુ છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો સહકાર થકી ગુજરાત રાજ્યને અગ્રેસર રાખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો છે. ઉપરાંત વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓની મદદથી કોરોના વેક્સિન આપવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ અભિયાનમાં તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા કર્મચારીઑ સેવા આપશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને વેક્સિનની કોઈ આડઅસર પણ નથી જ. દરેક સિનિયર સિટીજનને વેક્સિનના બે ડોઝ સમયસર લેવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં આરોગ્ય સારવાર સુવિધાઓ, ધન્વંતરી રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામકારી પગલાઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.

મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસી ના ડોઝ લઈને ‘હારશે કોરોના જીતશે ગુજરાત’ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈના અંતિમ તબક્કામાં વિજય મેળવે. આ ઉપરાંત દરેક નાગરિકોને અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસના વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">