ટૂંક સમયમાં સસ્તાં અને સરળતાથી મળશે Remdesivir Injections , સરકારના હસ્તક્ષેપથી સમસ્યા દૂર થશે
Remdesivir Price Reduced: કોરોનના કેસમાં અચાનક આવેલા વધારાથી દેશમાં એન્ટિ વાયરલ ડ્રગ રીમડેસિવીર(anti viral drug Remdesivir)ની અછત ઉભી થઈ છે.
Remdesivir Price Reduced: કોરોનના કેસમાં અચાનક આવેલા વધારાથી દેશમાં એન્ટિ વાયરલ ડ્રગ રીમડેસિવીર(anti viral drug Remdesivir)ની અછત ઉભી થઈ છે. સમસ્યા ધ્યાનમાં રાખીને સરકારે રેમેડિસવીરનું ઉત્પાદન બમણું કરવાની પરવાનગી આપી છે. સરકારના હસ્તક્ષેપ પછી દેશના તમામ રેમેડિસિવર ઉત્પાદકોએ આ ઈંજેક્શનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 100 મિલિગ્રામ ડોઝના રેમેડસિવીરના ઇંજેક્શનની કિંમત ખૂબ જ નીચે આવી છે.
શું છે નવી કિંમત ?
Company | Injection Name | Old Price | New Price |
cadila healthcare | REMDAC | 2800 | 899 |
syngene international | RemWin | 3950 | 2450 |
Dr Reddy’s Lab. | REDYX | 5400 | 2700 |
cipla | CIPREMI | 4000 | 3000 |
mylan pharma | DESREM | 4800 | 3400 |
jubilant generics | JUBI-R | 4700 | 3400 |
hetero healthcare | COVIFOR | 5400 | 3490 |
cor
આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું
To meet the increasing demand of #Remdesivir and to enhance its availability and affordability, the Govt has capped its price. @PMOIndia #Unite2FightCorona @MoHFW_INDIA pic.twitter.com/G1MoAjMvB2
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 17, 2021
આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સમયે લેવામાં આવ્યો છે કોવિડ -19 ના લાખો દર્દીઓને મોટી રાહત આપતા સરકારે જીવનરક્ષક રામડેસ્સિવીર ઇંજેક્શનના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓ માટે આ એક સારા સમાચાર છે. આવા સમયે આ પગલું ખૂબ મહત્વનું માનવામાં આવે છે, કેમ કે ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સતત વધી રહ્યા છે.
કેટલા દિવસોમાં તંગી દૂર થશે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશીએ જણાવ્યું હતું કે રેમેડિસવીરની અછત આગામી થોડા દિવસોમાં ઉકેલી લેવામાં આવશે. સરકાર અને ઉદ્યોગ આ માટે મળીને કામ કરી રહ્યા છે. રેમેડિસિવીર બનાવતી કંપનીના અધિકારીએ જણાવ્યું કે માર્ચના મધ્યભાગથી તમામ કંપનીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે. આગામી 7 થી 10 દિવસમાં 10 થી 20 લાખ ડોઝ બજારમાં આવશે. દોશીએ કહ્યું કે સરકાર દ્વારા રેમેડિસવીરના નિકાસ પર પ્રતિબંધ પરિસ્થિતિને સુધારવામાં પણ મદદ કરશે.