RAJKOT : કોરોનામાં સુગંધ ન આવે તો શું કરવું ? સ્વાદ માટે પણ છે આયુર્વેદમાં સરળ ઉપચાર
RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.
RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.
આર્યુવેદિક ઉપચાર- સુગંધ ન આવે તો ગાયના ધીને નવસેકુ તાપીને તેના બે ટીંપા નાકમાં નાખવા સ્વાદ ન આવે તો જીરૂ અને ખાંડને થોડી સેકીને તેને ચાવવી અને તેનો રસ ગળે ઉતારવાથી સ્વાદ આવવા લાગે છે. ઉધરસ આવે તો હળદળ અને મઘની ગોળી ખાવી,દિવસમાં ચાર થી પાંચ વખત ખાવાથી ફાયદો થશે. વીકનેસ દુર કરવા માટે રાબ પીવી,સૂંઠ,ધી ગોળ સાથે ઘઉં અથવા બાજરીની રાબ પીવાથી નબળાઇ દૂર થશે. ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂર,અજમાને સૂંધવાથી ફાયદો થાય છે પણ તેની સાથે સાથે સૂંઠ ગોળ ધીની ગોળી ચૂસવી જે ઓક્સિજન લેવલ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બાળકોને જો કોરોનાની અસર થાય અને કફ હોય તો મઘ,તુલસી અને આદુના રસ માત્રા પ્રમાણે લેવી જોઇએ.. પાચન થઇ શકે તેવો હળવો ખોરાક લેવો મગનું પાણી,મગ ભાત,ખીચડી જેવો ખોરાક લેવો જમવાનું પચી જતું હોય તો સામાન્ય ખોરાક પણ લઇ શકાય છે. વિટામીન સી મળી રહે તેવા પ્રવાહી પદાર્થો પીવાનો આગ્રહ વધારે રાખવો..
કોરોના ન હોય તેવા દર્દીઓ પણ આ કરી શકે છે. આખો દિવસ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો શક્ય હોય તો સૂંઠ નાખવી દિવસમાં એકવાર તુલસી અને મરીનો ઉકાળો પીવો. દિવસમાં એક વખત રાય અને મીઠાંનો નાસ લેવો જે ખૂબ જ લાભદાાયક નીવડે છે.
મેડિકલ દવાની સાથે પણ આર્યુવેદિક ઉપચાર કરી શકાય.
ડો.જયેશ પરમારના કહેવા પ્રમાણે એલોપેથી કે હોમિયોપેથી કોઇપણ પેથીની દવા ચાલતી હોય તેની સાથે આર્યુવેદિક ઘરેલું ઉપચાર કરી શકાય છે.આ કરવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તેઓ જલદી રોગમુક્ત થશે. આ ઉપચારની સાથે સાથે પોઝિટિવ એનર્જી દર્દીને આપવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.