Rajkot : સિવીલ હોસ્પિટલ સગર્ભા પોઝિટિવ દર્દીઓ માટે “દેવદૂત”, છેલ્લા 15 દિવસથી દરરોજ એક બાળકનો જન્મ

Rajkot : કોરોનાના કપરાં કાળમાં સૌથી વધારે ચિંતા સગર્ભા મહિલાઓની છે.બીજા સ્ટ્રેઇનમાં સગર્ભા મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટની સિવીલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દેવદૂત બનીને પોઝિટિવ સગર્ભા મહિલાઓને સારવાર આપે છે.

Rajkot : સિવીલ હોસ્પિટલ સગર્ભા પોઝિટિવ દર્દીઓ માટે દેવદૂત, છેલ્લા 15 દિવસથી દરરોજ એક બાળકનો જન્મ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 2:21 PM

Rajkot : કોરોનાના કપરાં કાળમાં સૌથી વધારે ચિંતા સગર્ભા મહિલાઓની છે.બીજા સ્ટ્રેઇનમાં સગર્ભા મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટની સિવીલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દેવદૂત બનીને પોઝિટિવ સગર્ભા મહિલાઓને સારવાર આપે છે. એટલું જ નહિ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ તેની પ્રસૃતા કરાવીને બે જીંદગીઓને નવજીવન આપે છે.

રાજકોટના ગાયનેક વિભાગના HOD ડો.કમલ ગોસ્વામીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે કોવિડની શરૂઆત થઇ ત્યારથી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા અને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્રારા સગર્ભા મહિલાઓની ટ્રિટમેન્ટ માટે કોવિડ વોર્ડ અને ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 241 જેટલી સગર્ભા પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાંથી 91 સગર્ભાઓની સફળ પ્રસૃતા પણ કરાવવામાં આવી છે. જેમાંથી 57 નોર્મલ ડિલેવરી તથા 34 સિઝરીયન કરવામાં આવ્યા છે.સૌથી મહત્વની વાત એ છે કે આ 91 પ્રસૃતિ પૈકી માત્ર બે બાળકોને જ કોરોના પોઝિટિવ આવ્યો છે.

ડો.ગોસ્વામીના કહેવા પ્રમાણે આ માતાઓની પ્રસૃતિ થાય ત્યારબાદ બાળકને તેનાથી અલગ રાખવામાં આવે છે અને બાળકોની નિષ્ણાંત ડોક્ટર દ્વારા તેની કાળજી લેવામાં આવે છે.દિવસમાં નિયત સમયે માતાને વિડીયો કોલીંગની મદદથી બાળકને દેખાડવામાં પણ આવે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

સૌરાષ્ટ્રમાં પોઝિટિવ સગર્ભાઓની સારવાર મુશ્કેલ કોરોના શરૂ થયો ત્યારથી પોઝિટિવ સગર્ભા મહિલાઓની સારવાર કરવી મુશ્કેલ બની છે.કોઇપણ સરકારી કે ખાનગી હોસ્પિટલો આ સારવાર કરતા ડરી રહ્યા છે. જેના કારણે પોઝિટિવ સગર્ભા મહિલાઓને રાજકોટ આવવું પડે છે. કેટલીક ખાનગી હોસ્પિટલો આવા કેસોની સારવાર કરે છે. પરંતુ તેની સામે તગડી ફી વસુલ કરે છે. જે સામાન્ય માણસને પરવડે તેમ નથી. ત્યારે તંત્ર દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઇ હોસ્પિટલ ,સંસ્થા આગળ આવે તો આવી સગર્ભા મહિલાઓને તેના શહેર ,ગામમાં સારવાર મળી રહે.

સગર્ભા મહિલાઓએ ખાસ આ તકેદારી રાખવી સગર્ભા મહિલાઓએ કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું. જરૂરિયાત વગર બહાર ન જાવું. જરૂર હોય તો નિયમીત ચેકિંગ ફોન દ્રારા કરાવવું ઘરમાં નાના બાળકો હોય તો તેને બહાર ન જવા દેવા તેનો ચેપ પણ અસર કરી શકે છે. પ્રવાહી,લીકવીડ પુરતા પ્રમાણમાં લેવું. કોઇ અસર જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">