Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા

Puducherry : CM એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.

Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા
FILE PHOTO
Follow Us:
| Updated on: May 09, 2021 | 11:40 PM

Puducherry : પોંડીચેરીના નવા મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી શપથ લીધાના બે દિવસ બાદ જ કોરોના સંક્રમિત થયા. 9 મે ના દિવસે રવિવારે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રદેશના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી રવિવારે ઈન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હતો. રંગાસ્વામીની તબિયત સ્થિર છે અને તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા Puducherry ના મુખ્યપ્રધાન એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં ભાજપના સભ્યો પણ શામેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરી દક્ષિણ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે અને આ કેન્દ્ર શાસિત પ્રધાન મંત્રીમંડળમાં ભાગીદારી ભાજપના વિસ્તરણને દર્શાવે છે.

પોંડીચેરી કોરોનાના 1633 નવા કેસ બહાર આવ્યા છે 9 મે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ Puducherry માં કોવિડ-19 રોગચાળાએ એક જ દિવસમાં મહત્તમ 26 દર્દીઓનો ભોગ લીધો, જ્યારે 1633 નવા કેસ પણ નોંધાયા હતા. પ્રદેશના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા કેસો આવ્યા બાદ અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 71709 થઈ છે. રાજ્યમાં વધુ 26 દર્દીઓનાં મોત સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં મૃત્યુનો આંક વધીને 965 થઈ ગયો છે. આ અગાઉ 8 મેના રોજ રાજ્યમાં કોરોનાને કારણે એક દિવસમાં મહત્તમ 19 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોંડીચેરી ક્ષેત્રમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં પ્રદેશના આરોગ્ય વિભાગ અનુસાર Puducherry ક્ષેત્રમાં 22 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં, જ્યારે કારાઇકલમાં બે,માહે અને યનામમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાંથી 13 અન્ય રોગોથી પણ પીડિત હતા.

પ્રદેશના આરોગ્ય અને કુટુંબ પરિવાર કલ્યાણ સેવાના નિયામક એસ મોહનકુમારે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, 9 મે ના રોજ સવારે 10 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 9022 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 8.56 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં 14034 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1158 દર્દીઓ આ કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 56710 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે? જાણો ડબલ માસ્કની વાસ્તવિકતા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">