ભારત પ્રવાસ કરનારા માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકારે વિઝા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા
લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે ધીમે હટાવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૂળ ભારતીયોને વિઝાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકારે વિદેશી વેપારીઓ અને વિદેશી વિધાર્થીઓને ભારત આવવા માટે વિઝા આપવાની મંજૂરી […]
લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે ધીમે હટાવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૂળ ભારતીયોને વિઝાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકારે વિદેશી વેપારીઓ અને વિદેશી વિધાર્થીઓને ભારત આવવા માટે વિઝા આપવાની મંજૂરી આપી છે. ઉલ્લખેનીય છે કે પ્રવાસીઓનો વિઝા પર પ્રતિબંધ યથાવત છે, ત્યારે ભારત આવનારા વ્યક્તિઓએ આરોગ્ય ખાતાની માગદર્શિકાનું પાલન કરવું પડશે અને ક્વોરન્ટીન થવું પડશે. મહત્વનું છે કે વિદેશી વ્યક્તિ હવે હવાઇ અને જળમાર્ગે ભારત આવી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો