કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે.

કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ
Oxygen Plant
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 17, 2021 | 11:52 AM

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે, જ્યાં તેમના વડીલો તેમજ તેઓ પણ બાળપણનો કેટલોક સમય થરાદમાં રહ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે સરહદી વિસ્તારમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે.

આ સમસ્યા વચ્ચે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટ્વિટરના માધ્યમથી ટ્વિટ કરી સરહદી વિસ્તારની પરિસ્થિતિ અવગત કર્યા હતા અને વતનના લોકોની મદદ કરવા અપીલ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ અપીલને ગંભીરતાથી લઈ ગૌતમ અદાણીના ભત્રીજા મિનેષ અદાણી અને મુદ્રા પોર્ટના મેનેજર રક્ષીત શાહ દ્વારા જીલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો સંપર્ક કરી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટેની તૈયારી દર્શાવી હતી. ઓક્સિજન પ્લાન્ટ માટેનું મટેરિયલ થરાદ પહોચી ગયું છે.

ઓક્સિજન પ્લાન્ટ થરાદ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દરરોજ 125 થી 150 બોટલ ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે કોરોના મહામારીના સમયે સરહદી વિસ્તારના લોકોને મદદરૂપ થશે.

માણસ ગમે તેટલી ઉંચાઈ પર પહોંચે, પરંતુ તેના પિતૃક ગામ સાથે તેની લાગણી હંમેશા જોડાયેલી રહે છે. માત્ર એક ટ્વિટના માધ્યમથી પોતાના વતનની મુશ્કેલીને જાણી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરનારા ગૌતમ અદાણીના કામને સરહદી વિસ્તારના લોકોને વખાણી રહ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે. તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો આ પ્લાન્ટ સરહદી વિસ્તારમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">