Oxygen Express : રેલવે એ 24 કલાકમાં 150 ટન ‘સંજીવની’ સપ્લાય કરી , જાણો કંઈ રીતે કર્યો કમાલ

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ઓક્સિજનની કટોકટી વચ્ચે રેલવે (Railway) એ હવે મોરચો સંભાળી લીધો છે.

Oxygen Express : રેલવે એ 24 કલાકમાં 150 ટન 'સંજીવની' સપ્લાય કરી , જાણો કંઈ રીતે કર્યો કમાલ
OXYGEN EXPRESS Train
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 4:47 PM

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ઓક્સિજનની કટોકટી વચ્ચે રેલવે (Railway) એ હવે મોરચો સંભાળી લીધો છે. છેલ્લા 24 કલાકમાં રેલ્વેએ વિવિધ રાજ્યોમાં 10 કન્ટેનર દ્વારા લગભગ 150 ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજન(Liquid Medical Oxygen) સપ્લાય કરી છે.

શનિવારે નાસિક અને લખનૌમાં ‘ઓક્સિજન એક્સપ્રેસ’ (Oxygen Express) ટ્રેન મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના સપ્લાય માટે પ્રવાહી તબીબી ઓક્સિજન લઇને પહોંચી હતી. રેલ્વેએ જણાવ્યું હતું કે ઓક્સિજન સપ્લાય માટે માર્ગમાં કેટલાક કન્ટેનર નાગપુર અને વારાણસીમાં ઉતારવામાં આવ્યા હતા.

21 એપ્રિલથી ઓક્સિજન એક્સપ્રેસ સેવા શરૂ થઈ છે રેલવેએ જણાવ્યું હતું કે ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ શનિવારે સવારે લખનૌથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આવી વધુ ટ્રેનો ચલાવવા માટે આંધ્ર પ્રદેશ અને દિલ્હીમાં રેલ્વે સાથે ચર્ચા ચાલી રહી છે. 21 એપ્રિલથી ઓક્સિજન એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

લખનૌ અને વારાણસી વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં વિશાખાપટ્ટનમ અને બોકારોમાં LMO ભરેલા ટેન્કરોને ભારતીય રેલ્વેની રો-રો સેવા દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં તબીબી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે ટ્રેનોની અવરજવર માટે લખનૌથી વારાણસીની વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું છે. ટ્રેન દ્વારા 62.35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 270 કિલોમીટરનું અંતર ચાર કલાક અને 20 મિનિટમાં કાપવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં આશરે 150 ટન ઓક્સિજન સાથે કુલ 10 કન્ટેનર વહન કરવામાં આવ્યાં હતાં.

કોવિડ – 19 ના વધતા જતા કેસો વચ્ચે ઓક્સિજનની તીવ્ર અછતને પગલે પ્રવાહી તબીબી ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરો માટે ભારતીય રેલ્વે આગામી કેટલાક દિવસો સુધી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ચાલુ રાખશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">