Corona Update : કેરળ બાદ કર્ણાટકમાં કોરોના કેસમાં ઉછાળો, એક દિવસમાં કોરોનાના કેસમાં 34 ટકાનો વધારો

લાંબા સમયના લોકડાઉન બાદ કર્ણાટકમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. શાળાઓને ઓફલાઇન વર્ગો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ઉપરાંત ધંધા રોજગારોને પણ મંજુરી આપવામા આવી છે.

Corona Update : કેરળ બાદ કર્ણાટકમાં કોરોના કેસમાં ઉછાળો, એક દિવસમાં કોરોનાના કેસમાં 34 ટકાનો વધારો
Karnataka - Corona Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:23 PM

Corona Update : કર્ણાટકમાં ફરી એકવાર રાજધાની બેંગલુરુ (Bengaluru) સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 2,052 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણમાં 34 ટકા વધુ કેસ નોંધાયા છે. આપને જણાવવું રહ્યું કે, બુધવારે કોરોના કેસોમાં 1531 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરૂવારે આ કેસો વધીને 2,052 સુધી પહોંચ્યા છે.

રાજધાની બેંગલુરુની વાત કરવામાં આવે તો બુધવારે કોરોનાનાં 376 કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે આ કેસ (Corona Case) વધીને 505 સુધી પહોંચી ગયા છે. હાલમાં, રાજ્યમાં 23,253 સક્રિય કેસો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે 1,48,861 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2,052 દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું.

કર્ણાટકમાં (Karnataka) છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં કોરોનાને (Corona) કારણે મોત થયા છે. નવા કેસો સાથે કર્ણાટકમાં કોરોના કેસોની સંખ્યા 29 લાખને પાર પહોંચી છે અને અત્યાર સુધીમાં 36491 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રતિબંધોમાં ઢીલ આપતા કોરોના સંક્રમણમાં નોંધાયો વધારો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પ્રતિબંધો (Restrictions) હળવા કરવામાં આવ્યા હતા. જેમાં 19 જુલાઈથી થિયેટરો (Theaters) ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી અને રાત્રિ કર્ફ્યુનો (Curfew) સમય પણ ઘટાડવામાં આવ્યો હતો. ઉપરાંત, કોલેજો અને યુનિવર્સિટીઓના ઓફલાઈન વર્ગો ખોલવાની પણ મંજુરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશ-રાજસ્થાનના લોકોમાં સૌથી વધુ એન્ટીબોડી, કેરળના લોકોમાં સૌથી ઓછી, જાણો ગુજરાત સહીત અન્ય રાજ્યની સ્થિતિ

આ પણ વાંચો: Gujarat માં સીરો સર્વેમાં 75. 3 ટકા લોકોમાં એન્ટિબોડી વિકસી : આઇસીએમઆર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">