Karnataka: શાળા ખુલતા જ 25 શિક્ષકો કોરોના સંક્રમતિ થયા
Karnataka: સ્કૂલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો છે કોરોના. કર્ણાટકમાં 25થી વધુ શિક્ષકો કોરોના પોઝિટિવ મળ્યા
Karnataka: સ્કૂલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો છે કોરોના. કર્ણાટકમાં 25થી વધુ શિક્ષકો શાળાઓ અને કોલેજો ખોલવાના આદેશના 5 દિવસ પછી જ કોરોના પોઝિટિવ મળ્યા છે. જેથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ડર છવાઇ ગયો છે. ફક્ત બેલાગવી જિલ્લામાં જ 18 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કર્ણાટક સરકારે આદેશ આપ્યો હતો કે, તમામ અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફને શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જે શાળાઓમાં ચેપ લાગ્યો છે, તેને સીલ કરી એક સપ્તાહ પછી ખોલવાનો નિર્ણય કરાયો છે.