Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ, 36 દર્દીઓના મોત, એક્ટિવ કેસ 1.52 લાખને પાર
Corona Case India:ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે 36 દર્દીઓના મોત થયા છે.
Corona Case : ભારતમાં કોરોના સંક્રમણ (Corona infection)ના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 36 દર્દીના મોત થયા છે. આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં 20,279 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને હવે 4,38,88,755 થઈ ગઈ છે, અત્યાર સુધી 5.26 લાખ દર્દીએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે, કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત (India)માં આજે સંક્રમણ શનિવારની તુલનામાં ઓછું જોવા મળ્યુ છે અને મૃત્યુઆંકની વાત કરીએ મૃત્યુઆંક પણ ઓછો નોંધાયો હતો
કોવિડ-19થી 18,143 દર્દીઓ સ્વસ્થ થયા
સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 1,52,200 થઈ છે,જે કુલ કેસનો 0.35 ટકા છે, છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19થી 18,143 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યારસુધી રિકવર થનારનો આંકડો 4,32,10,522 પર પહોંચ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રિકવરી રેટ 98.45 ટકા છે, જ્યારે મૃત્યુઆંક 1.20 છે. ભારતમાં અત્યારસુધી 5,26,033 દર્દીઓ સંક્રમણના કારણે મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 36ના મોત શનિવારના રોજ થયા છે,
કોરોનાના નવા 937 કેસ નોંધાયા
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. જેમાં 23 જુલાઇના રોજ કોરોનાના નવા 937 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5470 થવા પામ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.68 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 745 દર્દીઓ સાજા થયા છે.અમદાવાદમાં(Ahmedabad) 304, વડોદરામાં 83, મહેસાણામાં 66, ગાંધીનગરમાં 45, સુરતમાં 45, વડોદરામાં 36, ગાંધીનગરમાં 34, સાબરકાંઠામાં 32, રાજકોટમાં 27, બનાસકાંઠામાં 24, ભાવનગરમાં 24, સુરતમાં 24, વલસાડમાં 21, કચ્છમાં 20,રાજકોટમાં 19, આણંદમાં 14, જામનગરમાં 14, પાટણમાં 14, નવસારીમાં 13, મોરબીમાં 12, અમરેલીમાં 10, પોરબંદરમાં 10, ભરૂચમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ખેડામાં 07, એરવલ્લીમાં 04, દ્વારકામાં 04, સુરેન્દ્રનગરમાં 04, જૂનાગઢમાં 03, ગીર સોમનાથમાં 02 જૂનાગઢ જિલ્લામાં 02, તાપીમાં 02, ભાવનગરમાં 01, બોટાદમાં 01 અને દાહોદમાં 01 કેસ નોંધાયો છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. Coronaનવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.