લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે.

લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 21, 2021 | 6:15 PM

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે. ચીનની એક બેંકમાં કામ કરતા વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું. મૃતકના પિતાનું પણ કોરોનાને કારણે મોત થયુ હતુ, જે બાદ તે પોતાની માતાની સાર સંભાળ રાખવા માટે ભારત રોકાઈ ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યુ કે 40 વર્ષના મનોજના મૃત દેહને મંગળવારે અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. મનોજની પત્ની પાસેથી મંજૂરી લીધા બાદ એક વોલેન્ટિયરે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન મનોજનો આખો પરિવાર ચીનથી ઓનલાઈન તેમના અંતિમ સંસ્કારને જોઈ રહ્યા હતા. એસ.પી પ્રશાંત ચૌબેએ જણાવ્યુ કે મનોજ પોતાની માતાનું ધ્યાન રાખવા માટે ભારતમાં રોકાયેલા હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થઈ જતા તેમને અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત બગડતી ગઈ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોલીસ અને સમાજ સેવકોએ નિભાવી ફરજ

સોમવારે મનોજ કોરોના સામેની લડાઈ હારી ગયા. તેમના પરિવારને જાણ કરવામાં આવી, પરંતુ કોરોનાને કારણે તેમનો મૃતદેહ ચીન મોકલી ન શકાયો. તેવામાં તેમની પત્નીએ એક મિત્ર થકી તેમના અંતિમ સંસ્કાર માટે સંપર્ક કર્યો. મળતી માહિતી અનુસાર મનોજના મિત્રએ ઈંદૌરની એક સમાજસેવી સંસ્થાનો સંપર્ક કર્યો.

ત્યારબાદ આ સંસ્થાએ એડીએમ રાજેશ રાઠૌર અને એડિશનલ એસપી પ્રશાંત ચૌબેને આ જાણકારી આપી. પોલીસે બાબતની ગંભીરતા સમજીને કોરોના પ્રોટોકોલ અંતર્ગત મનોજના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને મનોજની પત્નીએ વીડિયો કોલ પર તેમને અંતિમ વિદાઈ આપી.

આ પણ વાંચો: Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">