VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ
રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે. આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત Web Stories […]
રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત
જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. રાજ્યમાં અનાજ વિતરણના કાર્ય માટે વિસ્તાર દીઠ 3-4 લોકોની કમિટી બનાવવામાં આવશે. તો 4 એપ્રિલથી જેમની પાસે રેશનકાર્ડ ન હોય તેવા પરપ્રાંતિય મજૂરોને પણ અનાજનું વિતરણ કરાશે. રાજ્યમાં અનાજના જથ્થાનું વિતરણ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પુરવઠા સચિવે કહ્યું કે વિતરકોનો કોઈ વિરોધ નથી. જો વિરોધ હશે તો પણ અમે હેન્ડલ કરીશું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો