Gujarat HighCourt : ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી, ગુજરાત સરકાર કોરોનાની આગામી લહેરની તૈયારી કરે

Gujarat HighCourt : હાઇકોર્ટે ગુજરાત સરકારને કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી અને ચોથી લહેર મારે આરોગ્ય માળખું એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવે.

Gujarat HighCourt : ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી, ગુજરાત સરકાર કોરોનાની આગામી લહેરની તૈયારી કરે
Gujarat High Court FILE PHOTO
Follow Us:
| Updated on: May 26, 2021 | 9:51 PM

Gujarat HighCourt : ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને સલાહ આપી હતી કે કોરોના વાયરસની ત્રીજી અને ચોથી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓ વધારવી જોઈએ. કોર્ટે કહ્યું કે આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓ વધારવી એટલા માટે જરૂરી છે કારણ કે લોકો ફેસ માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝેશન જેવા નિયમોનું પાલન કરતા નથી.

ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી : હાઈકોર્ટ Gujarat HighCourt માં કોવિડ-19ની સ્થિતિ અને અન્ય સંબંધિત મુદ્દાઓ અંગે દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ બેલા ત્રિવેદી અને ભાર્ગવ ડી. કારિયાની ડિવિઝન બેન્ચે આ ટીપ્પણી કરી હતી કે ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી.સાથે જ કોર્ટે ગુજરાત સરકારને કોઈપણ નવી લહેરનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સુવિધાઓમાં વધારો કરવા જણાવ્યું છે.

દર 6 મહીને નવી લહેર આવી શકે છે : હાઈકોર્ટ જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન Gujarat HighCourt એ કહ્યુ કે કોરોનાની ત્રીજી કે ચોથી લહેર પછી પણ આગળ અન્ય લહેર આવી શકે છે. કારણ કે રાજ્યના લોકો માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સ્વચ્છતા જેવા નિયમોનું પાલન કરશે નહીં. આ દેશમાં કોઈ આવું કરશે નહીં, તેથી દર છ મહિને એક લહેર આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતની સરખામણી માત્ર ચીન સાથે સંભવ : હાઈકોર્ટ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ભારતની યુરોપિયન દેશો સાથે સરખામણી કરતાં જણાવ્યું હતું કે સાત વિકસિત દેશોમાં સંયુક્ત રીતે રોગચાળાને કારણે વધુ લોકો સંક્રમિત બન્યા છે અને મૃત્યુ પામ્યા છે. એડવોકેટ જનરલની આ દલીલ સામે Gujarat HighCourt એ કહ્યું કે ભારતની સરખામણી ફક્ત ચીન સાથે કરી શકાય છે.

હાઈકોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કહ્યું, “તમારે ભારતની સરખામણી યુરોપિયન દેશો નહીં પણ ચીન સાથે કરવી જોઈએ, આ સરખામણી યોગ્ય નથી. અને ચીન જેવી શિસ્તબદ્ધતા અહીં શક્ય નથી, માટે ગુજરાત સરકાર આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓમાં વધારો કરે.

આ પણ વાંચો : 20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3085 કેસ સામે 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા, 36 ના મૃત્યુ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">