મહિસાગરના વીરપુરમાં એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, અમરેલીમાં સાત દિવસમાં સાત દર્દી મળ્યા
અમરેલીમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત દર્દીઓ મળ્યા છે. અમરેલી, રાજુલા, વડિયા, લીલીયા સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે.
તો મહિસાગર જિલ્લામાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. વીરપુરમાં એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ મળ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસનો આંક 23 પર પહોંચી ગયો છે. લુણાવાડામાં 16 અને બાલાસિનોરમાં બે કેસ નોંધાયા છે. તો મહિસાગરમાં કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
અમરેલીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા કેસથી સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે અમરેલીમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત દર્દીઓ મળ્યા છે. અમરેલી, રાજુલા, વડિયા, લીલીયા સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું, જે રીતે કેસો વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને હાલ સમગ્ર જિલ્લામાં 1,339 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જરૂર પડશે તો પીએચસી સેન્ટરમાં પણ બેડની વ્યવસ્થા કરાશે. ઉપરાંત રાજુલા, અમરેલી, લાઠી, સાવલકુંડલામાં ઓક્જિન પ્લાન્ટની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. બીજી તરફ જિલ્લા પોલીસ પણ કોવિડ પ્રોટોકોલનું કડક પાલન થાય તે માટે સતર્ક છે અને વેપારી મંડળને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : 1 જાન્યુઆરીએ સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે, અમદાવાદ-ભાવનગર-રાજકોટ-અમરેલીની હવાઈ સેવા ખુલ્લી મુકાશે
આ પણ વાંચો : KUTCH : ભુજમાં ADANI સંચાલિત GK GENERAL HOSPITALની ગંભીર બેદરકારી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો