Fact Check : શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.
દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે સોશિયલ મીડિયા પર સતત અનેક પ્રકારના દાવાઓ શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના નામનો મેસેજ ફેસબુક અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં 21 મુદ્દા આપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવે છે કે આ 21 પોઇન્ટ્સ ICMR દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેનામાં કોરોનાનો ચેપ અટકાવવા માટે માનવામાં આવી શકે છે. આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ICMRદ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સંપૂર્ણપણે બનાવટી મેસેજ છે.
મેસેજમાં શું કહેવામાં આવી રહ્યું છે
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંદેશમાં 21 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, આગામી 2 વર્ષ વિદેશ યાત્રા ન કરો, લગભગ 1 વર્ષ બહાર જમવા માટે ન જશો, સામાજિક અંતર જાળવો, શાકાહારી ખોરાક પર ધ્યાન આપો, તમારી ઇમ્યુનિટી વધારશો, બહારથી આવીને સ્નાન કરો, સલૂન પર વિશેષ ધ્યાન આપો , આવતા 6 મહિના સુધી સિનેમા હોલ અથવા ગીચ જગ્યાઓ પર ન જશો . આ સંદેશમાં 21 આવા મેસેજ આપવામાં છે અને તેને મેસેજમાં આઈસીએમઆરની એડવાઇઝરી કહેવામાં આવી છે.
This is circulating in different social media platform. ICMR did not issue any such guideline or advisory. It is #Fake circulation. #FactCheck #FakeNews pic.twitter.com/FeusTaOiWM
— ICMR (@ICMRDELHI) May 6, 2021
મેસેજ પર આઈસીએમઆરએ શું કહ્યું
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.
દેશમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. તેમજ કોરોનાના ચેપથી સાવચેતી રાખવી જરૂરી હોવાથી સોશિયલ મીડિયા પરના તમામ પ્રકારના વાયરલ સંદેશાઓ વિશે પણ સાવધ રહેવાની જરૂર છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,188 નવા કેસ નોંધાયા છે અને 3,915 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 36 લાખને પાર કરી ગઇ છે.