DR. FAUSI : ભારત આ ત્રણ સૂત્રો પર કામ કરશે તો થશે કોરોના પર નિયંત્રણ

DR.FAUSI : વ્હાઈટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો.ફૌસીએ અગાઉ ભારતમાં લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી.

DR. FAUSI : ભારત આ ત્રણ સૂત્રો પર કામ કરશે તો થશે કોરોના પર નિયંત્રણ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 04, 2021 | 5:29 PM

DR.FAUSI : વિશ્વના ચેપી રોગના ટોચના નિષ્ણાતોમાંના એક તરીકે ગણાતા ડો.ફૌસીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતને કોરોના મહામારી પર નિયંત્રણ લાવવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. આ અગાઉ તેમણે ભારતમાં લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી. હવે તેમણે ફરી ભારતને ત્રણ સૂત્રોને અનુસરવાનું સૂચન કર્યું છે જેનાથી કોરોના પર નિયંત્રણ લાવી શકાશે.

સેનાની મદદથી હંગામી હોસ્પિટલો બનાવવી જોઈએ DR.FAUSI એ કહ્યું કે ગયા વર્ષે જ્યારે ચીનમાં ગંભીર સમસ્યા આવી હતી, ત્યારે તેણે પોતાના સંસાધનોને ઝડપથી નવી હોસ્પિટલો બનાવવા માટે કામે લગાડી દીધા હતા જેથી તે બધાને હોસ્પિટલો પૂરી પાડી શકે જેમને એડમિટ કરવાની જરૂર હતી. તેમણે મીડિયા અહેવાલોને ટાંકીને કહ્યું કે હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત છે અને અસ્થાયી વ્યવસ્થામાં લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે.

સાત અમેરિકન રાષ્ટ્રપતિઓ સાથે કામ કરી ચુકેલા ડો.ફૌસીએ સૂચવ્યું હતું કે ભારતે તેની સેનાની મદદથી ફિલ્ડ હોસ્પિટલો બનાવવી જોઈએ, જે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. જેથી હોસ્પિટલમાં રહેલા લોકોને બેડ મળી શકે. તેમણે કહ્યું કે ભારત સરકાર કદાચ પહેલાથી જ આ કરી રહી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે DR.FAUSI એ કહ્યું કે ભારતે હજી પણ લોકોને મોટા પાયે રસી આપવી જોઈએ. પછી ભલે તે તેમના દ્વારા વિકસિત રસીઓ હોય અથવા રશિયા અને અમેરિકા જેવા અન્ય સપ્લાયર્સ પાસેથી ખરીદેલી રસીઓ. તેમ છતાં તેમણે કહ્યું કે, આજે ઉદભવેલી સમસ્યાનું નિવારણ રસીકરણથી આવશે નહીં. રસીકરણથી કેટલાક અઠવાડિયામાં સમસ્યાને રોકવામાં મદદ કરશે.

સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવે DR.FAUSI એ કહ્યું કે કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે વિશ્વભરના દેશોએ ઘણી વખત લોકડાઉન લગાવી દીધું છે. આવી સ્થિતિમાં છ મહિનાના લોકડાઉનની જરૂર નથી. થોડા અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરી શકો છો. તેમણે કહ્યું કે લોકડાઉન સંક્રમણ દરને ઘટાડે છે અને સંક્રમણનું સાતત્ય તોડે છે.

આ પણ વાંચો : વિશાખાપટ્ટનમમાં નવા કોરોના સ્ટ્રેને મચાવ્યો હડકંપ, 3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">