Delta Variant: ડેલ્ટા વેરિઅન્ટ અત્યંત જોખમી, રસી અને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરવાની વેરિઅન્ટની ક્ષમતા વધારે : સંશોધન
Delta Variant: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પહેલાં, તેનું બદલાતું સ્વરૂપ એક સમસ્યા બની રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2) પણ કોરોના રસી અને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે.
Delta Variant: ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોવિડ -19 ના ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિઅન્ટ (બી .1.617.2) રોગપ્રતિકારક શક્તિ અને રસીના ડોઝ સામે પણ અસરકારક છે. જેના કારણે આ વેરિઅન્ટ થકી કોરોના દર્દીઓમાં વારંવાર ચેપ લાગવાની સંભાવના ધરાવે છે. નિષ્ણાતોના મતે ડેલ્ટા વેરિઅન્ટ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનું પરિવર્તન ખૂબ જ ચેપી છે. તે લોકોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાયરલ ચેપ ઉત્પન્ન કરે છે અને ઝડપથી ફેલાય છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ અને ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઇબી) એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગુપ્તા લેબના સહયોગથી આ અભ્યાસ તૈયાર કર્યો છે. આ અભ્યાસ દેશના ત્રણ શહેરોમાં હેલ્થકેર કર્મચારીઓમાં આ ડેલ્ટા વેરિએન્ટના ચેપના ફેલાવાના આધારે અને એન્ટિબોડીઝ સામે કેવી પ્રતિક્રિયા આપે છે. તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે, આ વાયરસની અસર માનવ કોષો પર, ખાસ કરીને ફેફસાં પર, પણ આનો આધાર બનાવી કરવામાં આવ્યો છે. અગાઉ, સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર સંશોધન કરવામાં આવ્યું હતું કે ભારતમાં ચેપની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટથી સૌથી વધુ નુકસાન થયું છે.
ડેલ્ટા વેરિઅન્ટમાં રોગપ્રતિકારક શક્તિ પર પ્રહાર કરવાની ક્ષમતા છે
આઈજીઆઈબીના ડિરેક્ટર ડૉ. રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, “લેબ સંશોધન બતાવે છે કે ડેલ્ટા વેરિએન્ટમાં રોગપ્રતિકારક શક્તિ પર પ્રહાર કરવાની ઘણી ક્ષમતા છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને આરોગ્ય કામદારોમાં રસીના બંને ડોઝ આપવા છતાં ઇન્ફેકશન લાગવાનું સામે આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું, “આપણે આ વેરિઅન્ટ બાબતે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, ખાસ કરીને હાલમાં જ્યારે તેના અન્ય સ્વરૂપ ડેલ્ટા પ્લસના કિસ્સા પણ ઝડપથી સામે આવી રહ્યા છે. જોકે, આ વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિ પર કેટલી હદ સુધી સક્ષમ છે, તે હજી સુધી જાણી શકાયું નથી. જે બાબતે હાલ સંશોધન ચાલું છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગુપ્તા લેબના જણાવ્યા અનુસાર, “અમારા સંશોધન મુજબ, અમને ખબર પડી છે કે કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાય છે. સાથેસાથે શરીરમાં અગાઉના કોરોના ચેપ પછી બનેલ રોગપ્રતિકારક શક્તિ પર અસર કરવાની ક્ષમતા પણ વધારે છે. મુંબઈમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિએન્ટ કોરોનાના અગાઉના વેરિએન્ટ કરતા 10 થી 40 ટકા ઝડપથી ફેલાયેલો છે. 20 થી 55 ટકા કોરોના કેસોમાં એન્ટિબોડીઝ રચાય છે. પરંતુ, આ વેરિઅન્ટમાં આ તમામ બાબતો બિનઅસરકારક સાબિત થઇ છે “