Covid 19 : ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો 510 દિવસમાં કેસની શું સ્થિતિ રહી

દેશમાં મંગળવારે કોવિડ 19 ના કુલ કેસનો આંકડો 3 કરોડને પાર થયો. આ પહેલાં અમેરિકાએ આ આંકડો પાર કર્યો હતો. ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ નોંધવામાં આવ્યો હતો.

Covid 19 : ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો 510 દિવસમાં કેસની શું સ્થિતિ રહી
ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:30 PM

દેશમાં મંગળવારે કોવિડ 19 ના કુલ કેસનો આંકડો 3 કરોડને પાર થયો. આ પહેલાં અમેરિકાએ આ આંકડો પાર કર્યો હતો. ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ નોંધવામાં આવ્યો હતો અને હવે 510 દિવસ પછી કોરોના કેસ (Corona Case) 3 કરોડ પર પહોંચી ગયા છે. જો અમેરિકાની વાત કરીએ તો, ત્યાં 20 જાન્યુઆરી 2020 ના રોજ પહેલો કેસ સામે આવ્યો અને 430 દિવસની અંદર તે કોરોના કેસમાં 30 મિલિયનનો આંકડો પાર કરી ગયા.

છેલ્લા 50 લાખ કેસ 36 દિવસમાં આવ્યા હતા, જે દરમિયાન દરરોજ 1.39 લાખ કેસ નોંધાયા છે. એપ્રિલ અને મે મહિનામાં, આ આંકડો દરરોજ 3.57 લાખ છે. મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન, આ આંકડો 4.14 લાખ પર પહોંચ્યો. છેલ્લા સાત દિવસોમાં આ આંકડો દરરોજ સરેરાશ 49,250 પર આવી ગયો છે. 8 મેના રોજ સરેરાશ 7 દિવસ કેસની સંખ્યા 3,91,232 નોંધાઈ હતી.

2.5 કરોડ કેસ

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

2 કરોડથી 2.5 કરોડ કોરોના કેસ વચ્ચેનું અંતર માત્ર 14 દિવસમાં પૂર્ણ થયું હતું. 17 મેના રોજ ભારતે 2.5 કરોડનો આંકડો પાર કર્યો. આ દરમિયાન દેશમાં દરરોજ સરેરાશ 3.57 લાખથી વધુ કેસ અને ચાર હજારથી વધુ મૃત્યુ નોંધાયા છે. 18 મે સુધીમાં ભારતમાં 33,53,765 સક્રિય કેસ સાથે 2,78,719 મોત થયા હતા.

2 કરોડ કેસ

દેશમાં 1.5 કરોડથી 2 કરોડ કેસ થવામાં 15 દિવસ લાગ્યા. 3 મેના રોજ દેશમાં 3,57,229 નવા કેસ અને 3,449 ના મોત થયા હતા. તે જ દિવસે કોરોના કેસનો આ મોટો આંકડો હતો. આ દરમિયાન દરરોજ સરેરાશ 3.37 લાખ નવા કેસ અને 2900 ના મૃત્યુ નોંધાયા છે.

1.5 કરોડ કેસ

1 કરોડના કેસ પછી દેશમાં 18 એપ્રિલના રોજ 1.5 કરોડ કેસનો આંકડો પાર કર્યો. આ તે સમય હતો જ્યારે કોવિડના કેસો અને મૃત્યુ દરમાં સતત ઘટાડો થતો હતો. આ દરમિયાન દેશમાં દરરોજ સરેરાશ 41,300 કેસ અને 278 મૃત્યુ નોંધાયા છે. નવા કેસોની સાપ્તાહિક સરેરાશમાં 11 ફેબ્રુઆરી સુધી લગભગ સતત ઘટાડો નોંધાયો હતો.

1 કરોડ કેસ

ગયા વર્ષે 18 ડિસેમ્બરે ભારતે 1 કરોડ કેસનો આંકડો પાર કર્યો હતો. આ તે સમય હતો જ્યારે દેશ પ્રથમ લહેરના ઘટાડાના શરૂઆતના દિવસોમાં હતો. દિવસમાં 25,153 નવા કેસ અને 347 નવા મોત નોંધાયા છે. 50 લાખથી લઈને 1 કરોડ સુધી પહોંચવામાં 94 દિવસનો સમય લાગ્યો હતો.

50 લાખ કેસ

15 સપ્ટેમ્બરના રોજ ભારતે 50 લાખ કેસનો આંકડો પાર કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાનો પ્રથમ પીક ટાઈમ હતો. તે દિવસે 90,123 નવા કેસ અને 1,290 નવા મોત નોંધાયા હતા. આ આંકડા સુધી પહોંચવામાં 230 દિવસ થયા. 25 થી 50 લાખ સુધીનો આંકડો પહોંચવામાં ફક્ત 32 દિવસનો સમય લાગ્યો હતો. આ 32 દિવસ દરમિયાન દરરોજ 78,125 કેસ અને 1,032 મૃત્યુ નોંધાયા છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">