પીએમ મોદીની બેઠક એવા સમયે થઇ છે જ્યારે દેશમાં કોરોના સંક્રમણના નવા કેસ છેલ્લા 3 દિવસથી ઓછા થઇ રહ્યા છ. જો કે મોતનો આંકડો ઓછો નથી થઇ રહ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાન 3,11,170 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની ઝપેટમાં 4,077 કોવિડ દર્દીઓએ દમ તોડ્યો છે. આ મુકાબલે 3,62,473 લાખ દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા પણ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે કહ્યુ કે દેશમાં કોવિડ-19ના કેસમાં 85ટકા કેસ 10 રાજ્યોમાંથી છે. જ્યારે 11 રાજ્યોમાં સંક્રમણના એક-એક લાખ એક્ટિવ કેસ છે. દેશના રાજ્યોમાં સંક્રમણ દર 15 ટકાથી વધારે છે. જો કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવેલા લોકોના સાજા થવાનો રાષ્ટ્રીય દર 83 ટકાથી વધારે છે.